જમ્મુ કાશ્મીરમાં ખાનગી શાળામાં ૩૨ વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા

શ્રીનગર, દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી હશે, પરંતુ હજુ પણ પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. દેશભરમાં શાળાઓ ખુલતા જ કોરોના હવે વિધાર્થીઓને શિકાર બનાવી રહી છે.
જમ્મુ -કાશ્મીરના રાજૌરી જિલ્લાની એક ખાનગી શાળામાં ૩૨ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં જ વહીવટીતંત્રે કોરોનાથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ ૧૦ મી અને ૧૨ મી શાળાઓ ખોલવાની મંજૂરી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના બ્લાસ્ટ જમ્મુના રાજૌરી જિલ્લામાં થયો હતો. અહીં એક ખાનગી શાળાના ૩૨ વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. વહીવટીતંત્રે આદેશ આપ્યો છે કે તમામ બાળકો વર્ગમાં પ્રવેશતા પહેલા એન્ટિજેન માટે પરીક્ષણ કરવામાં આવશે. આ ટેસ્ટમાં આ બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તાજેતરમાં જ જમ્મુ -કાશ્મીર સરકારે ધોરણ ૧૦ અને ૧૨ નું વર્ગો ઓફલાઈન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.
થોડા દિવસ પહેલા લદ્દાખની રાજધાની લેહમાં પણ આવું જ થયું હતું, ત્યારબાદ ત્યાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
ગયા સપ્તાહે લેહમાં એક જ દિવસમાં ૭૧ નવા કેસ નોંધાયા હતા, જે બે મહિનામાં સૌથી વધુ હતા. આમાંના મોટાભાગના કેસ લેહમાં ડ્રૂક પદ્મા કર્પો સ્કૂલ ચે સાથે સંબંધિત હતા. આ પછી જિલ્લા વહીવટીતંત્રે ૧૫ દિવસ માટે શાળા બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યાં ૨ ઓક્ટોબર સુધી શાળાઓ ફરી બંધ કરી દેવામાં આવી છે.HS