Western Times News

Gujarati News

રાજ્યમા કોરોના વાયરસના નવા કુલ ૧૬ કેસો નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજે રોજ આસમાની સુલતાની જાેવા મળી રહી છે. આંકડાઓ નાના છે પરંતુ તેની વચ્ચેનું અંતર ખુબ જ મોટુ જાેવા મળી રહ્યું છે. રાજ્યમા કોરોનાના નવા ૧૬ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૬ દર્દી રિકવર પણ થયા છે.

અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૭૧૨ નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં ૨,૨૩,૪૬૪ રસીના ડોઝ અપાયા છે.

રાજ્યમાં હાલ કુલ ૧૫૮ કેસ એક્ટિવ છે. જે પૈકી ૦૪ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૧૫૪ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૭૧૨ નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. તો બીજી તરફ કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૦૦૮૨ નાગરિકોના મોત થયા છે. જાે કે સકારાત્મક બાબત કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત થયું નથી.

જે ગુજરાત માટે ખુબ જ રાહતના સમાચાર છે. આજે રાજ્યમાં સુરત કોર્પોરેશનમાં ૬, અમદાવાદ કોર્પોરેશન ૨, ખેડા અને વલસાડમાં ૨-૨ કેસ જ્યારે નવસારી, રાજકોટ કોર્પોરેશન, તાપી, વડોદરા કોર્પોરેશનમાં ૧-૧ કેસ સામે આવ્યા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૯ ને રસીનો પ્રથમ જ્યારે ૨૬૯૩ ને રસીનો બીજાે ડોઝ આપવામાં આવી ચુક્યો છે.

૪૫ વર્ષથી વધારેની ઉંમરની ૨૭૫૦૬ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૩૩૩૯૭ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના ૭૯૪૪૩ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૮૦૪૧૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૨,૨૩,૪૬૪ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૬,૧૨,૧૬,૯૧૬ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.