Western Times News

Gujarati News

નીતિ નિયમો નેવે મૂકીને પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન

અમદાવાદ, કોરોનાની ગાઈડલાઈન સાથે આ વર્ષે ગુજરાતમાં નવરાત્રિ ઉજવવાની છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે શેરી ગરબામાં ૪૦૦ લોકોની છૂટ આપવામાં આવી છે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન નહિ થાય તેવુ પણ સરકારે જાહેરાત કરી છે.

ત્યારે આણંદના પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ જાેવા મળી હતી. સરકાર દ્વારા જાહેર કરાયેલા નીતિ નિયમોને નેવે મુકીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદના એક પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જાે કે, સરકાર દ્વારા કોમર્શિયલ ગરબાનું આયોજન કરવાની છૂટછાટ આપવામાં આવી નથી. એવામાં કરમસદના વિવાહ પાર્ટી પ્લોટમાં સરકારના નીતિ નિયમોને નેવે મૂકીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પોલીસની હાજરીમાં લોકો ગરબાના તાલે ઝૂમી રહ્યા હતા. ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ પણ આ ગરબા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ આ ગરબા કાર્યક્રમમાં ગુજરાતી સિંગર કિંજલ દવે પણ ઉપસ્થિત રહી હતી.

ઉલ્લેખનીય છે કે, આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી હતી, જેમાં ચર્ચાના અંતે આખરે ગૃહરાજ્ય મંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. ગૃહરાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, કોરોના સામેની લડાઇ હજુ પૂરી થઈ નથી, તે રીતે જ નિયમોને ધ્યાનમાં રાખીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ એ સૌ કોઈ માટે આસ્થાનો વિષય છે. બે વર્ષથી ગુજરાતમાં નવરાત્રિનું આયોજન થઈ શક્યું નથી.

મુખ્યમંત્રીએ તમામ વિભાગો સાથે ચર્ચા કરી હતી. કોરોનામાં માનસિક તણાવ દૂર થાય તે માટે શેરી ગરબાને મંજૂરી અપાઈ છે. સોસાયટીના લોકો સાથે ૪૦૦ લોકો માટે છૂટ અપાશે. ગુજરાતમાં ગ્રાઉન્ડમાં ગરબા થાય તેવી માંગણી હતી. આ મામલે મુખ્યમંત્રીએ બેઠકો કરી હતી. જાેકે, હાલની સ્થિતિ જાેતા કોમર્શિયલ ગરબા આયોજન કરી શકાય એવી સ્થિતિ નથી. કોમર્શિયલ ગરબા નહિ થઈ શકે.

નવરાત્રિ માટે કરફ્યૂની છૂટ રાત્રે ૧૨ વાગ્યા સુધી અપાઈ છે. આવનાર દિવસોમાં સારી છૂટછાટ સાથે તહેવાર ઉજવી શકીએ માટે કોરોનાના પ્રોટોકોલ સાથે ઉજવણી કરીએ. સાથે જ તેમણે વધુમા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા યોજાતો નવરાત્રિ મહોત્સવ પણ આ વર્ષે નહિ યોજાય. અમદાવાદ ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડ પર ગરબાનું આયોજન નહિ થાય. નિયમોનુસાર ગરબાના આયોજન પર પોલીસ કોઈને પરેશાન નહિ કરે. મને ગુજરાતના લોકો પર વિશ્વાસ છે કે તેઓ કોઈ નિયમ તોડશે નહિ. નિયમ આપણા માટે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.