રોકણને લઈને બેન્કોને જલદી ર્નિણય કરવા સુપ્રીમનો નિર્દેશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Supreme.jpg)
Files Photo
નવી દિલ્હી, આમ્રપાલી પ્રોજેક્ટમાં રોકાણને લઈને સુપ્રીમ કોર્ટે બેન્કોને જલ્દીથી જલ્દી પ્રપોઝલ ફાઈનલ કરવાના આદેશ આપ્યા છે. અત્યાર સુધી માત્ર એસબીઆઈ અને યુકો બેન્કે જ ૪૫૦ કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
અદાલતનુ કહેવુ છે કે બીજા બેન્ક આગામી બે અઠવાડિયાની અંદર આની પર અંતિમ ર્નિણય લે. અગાઉ કોર્ટે જણાવ્યુ કે આમ્રપાલી ગ્રૂપના ૩૦૦ ફ્લેટ ખરીદદારોને દિવાળીના અવસરે પઝેશન આપવામાં આવશે.
કોર્ટ દ્વારા નિયુક્ત રિસીવર આર વેંકટરમાનીએ જણાવ્યુ કે આ ફ્લેટ તે ૨૩૦૦ ફ્લેટ્સથી અલગ છે, જેમણે એનબીસીસીના વાયદા અનુસાર નોઈડાના ખરીદારોને સોંપવામાં આવશે.
મામલાની સુનાવણી દરમિયાન વેંકટરમાનીએ જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચે જણાવ્યુ કે છ બેંકોના રોકાણ પર સંમતિ વર્તાવી હતી, પરંતુ પાછલા દોઢ મહિનામાં વાત આગળ વધી શકતી નથી. જાે કોર્ટ દખલ દે છે તો તેમાં તેજી આવી શકે છે.
રિસીવરે સપ્ટેમ્બરમાં કોર્ટે જણાવ્યુ હતુ કે તેમણે બેન્ક ઑફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા, યુકો બેન્ક અને પંજાબ અને સિંઘ બેન્કના અધિકારીઓ સાથે કેટલીક બેઠક કરી છે.
આ દરમિયાન બેન્ક અધિકારી ફંડિંગ એક્સટેન્ડ કરવા પર સંમત થયા છે અને આ સંબંધમાં પેપરની કાર્યવાહી જલ્દી પૂરી થઈ જશે. જાેકે આવુ થયુ નહીં. એસબીઆઈ અને યુકો બેન્ક સિવાય કોઈ પણ બેન્કે આ મુદ્દે ગંભીરતા બતાવી નથી.
તેમણે રોકાણને લઈને કોઈ પ્રપોઝલ તૈયાર કર્યુ નથી. હવે સુપ્રીમ કોર્ટે તમામ બેન્કોને નિર્દેશ આપતા કહ્યુ છે કે બે અઠવાડિયાની અંદર આની પર અંતિમ ર્નિણય લેવામાં આવે. અગાઉ સુનાવણીમાં રિસીવરે કહ્યુ કે બાકી બેન્કની પ્રક્રિયામાં મોડુ થયુ છે પરંતુ તેમની તરફથી આ મામલે કોઈ વાંધો ઉઠાવાયો નથી.SSS