મુખ્યમંત્રીએ રાજભવન ખાતે રાજ્યપાલની મુલાકાત લીધી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈને નૂતન વર્ષની શુભકામનાઓનું આદાનપ્રદાન કર્યું હતું તથા નવા વર્ષમાં ગુજરાત સર્વગ્રાહી વિકાસના નવાં સીમાચિન્હો પાર કરે અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડે તેવી કામના કરી હતી.