કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને માર્યો ઠાર
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં આ આતંકવાદી માર્યો ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ બાકી છે. આ વિસ્તારમાં અન્ય આતંકીઓ પણ છૂપાયેલા હોવાની માહિતી મળી રહી છે. મોટી સંખ્યામાં સૈનિકોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
આતંકીઓ વિસ્તારમાંથી ભાગી ન જાય તે માટે જવાનોએ તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. જવાનોનો પ્રયાસ છે કે બને તેટલી વહેલી તકે, મૃત કે જીવિત, છુપાયેલા આતંકવાદીઓને આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવે.
સૈનિકોને આતંકવાદીઓના છુપાયા હોવાની માહિતી મળતા જ સુરક્ષાદળો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા અને વિસ્તારને કોર્ડન કરી લીધો. જ્યારે આતંકવાદીઓને શસ્ત્રો નીચે મૂકવા માટે કહેવામાં આવ્યું ત્યારે ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ સ્થળ પર હાજર સૈનિકોએ મોરચો સંભાળી લીધો અને જડબાતોડ જવાબ આપવાનું શરૂ કર્યું.
આ પહેલા સૈનિકોએ બુધવારે મોટી સફળતા મેળવી હતી. જવાનોએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા.SSS