પ્રચારકોની યાદીમાંથી વરુણ ગાંધી-અજય મિશ્રની બાદબાકી
લખનૌ, ભાજપે યુપી વિધાનસભા ચૂંટણી માટે ૩૦ સ્ટાર પ્રચારકોનુ લિસ્ટ જાહેર કર્ય છે.જેમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના ભાજપના મોટા નેતાઓના નામે સામેલ છે.
જાેકે ધ્યાન ખેંચનારી વાત એ છે કે, છેલ્લા કેટલાક સમયથી પોતાની પાર્ટી સામે બાંયો ચઢાવનારા વરુણ ગાંધી તેમજ રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહ મંત્રી અજય મિશ્ર ટેનીનુ નામ આ યાદીમાં નથી. અજય મિશ્ર ઉર્ફે ટેની લખીમપુર ખીરી હિંસાથી વિવાદમાં આવ્યા હતા.અહીંયા ખેડૂતો પર જીપ ચઢાવી દેવાના આરોપસર તેમના પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તે જેલમાં છે.
આ મુદ્દે વિપક્ષ દ્વારા અગાઉ પણ અવાર નવાર મોદી સરકાર પર નિશાન સાધવામાં આવેલુ છે. જ્યારે મેનકા ગાંધીના પુત્ર તેમજ યુપીના સાંસદ વરુણ ગાંધી ખેડૂત આંદોલન દરમિયાન અવાર નવાર પાર્ટી વિરોધી સૂર વ્યક્ત કરી ચુકયા છે.SSS