Western Times News

Gujarati News

અમદાવાદઃ કેસ વધતાં મોટાભાગના સ્વામિનારાયણ મંદિર બંધ

(એજન્સી) અમદાવાદ, શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારાથી મુખ્ય મંદિરો જેવા કે સ્વામિનારાયણ એસજીવીપી છારોડી ,મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, ઘોડાસર સ્મૃતિ મંદિર, મણીનગર વલ્લભધામ હવેલીમાં ભક્તો વગર દર્શન અને આરતી કરવામાં આવશે. મંદિરના સંતો તેમજ પૂજારી દ્વારા ભજન કીર્તન અથવા ધુન કરવામાં આવશે.

સાથે સાથેે એસજીવીપી ગુરૂકૂળમાં કોરોનાનો કહેર ઓછો થાય તે માટે નાનો યજ્ઞ પણ કરવામાં આવશે. નગરદેવી ભદ્રકાળી માતાજીના મદિરમાં પણ આગામી દિવસો માટે દિવસભર ૧પ ટકા લોકોને જ પ્રવેશ અપાશે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર, બીઅપીએસ સ્વામિનારાયણ મંદિરમાં સોશ્યલ ડીસ્ટન્સ તેમજ માસ્કનુૃ ખાસ પ્રકારે કાળજી રાખવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.