મહારાષ્ટ્રમાં મોલ-દુકાનોમાં વાઈનના વેચાણને મંજૂરી
મુંબઈ, મહારાષ્ટ્ર સરકારે સુપર માર્કેટ તેમજ દુકાનોમાં પણ વાઈન વેચવા માટે મંજૂરી આપવાનો ર્નિણય લીધો છે. જેનો ભાજપ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે શિવસેના પ્રવકતા સંજય રાઉતે આ ર્નિણયનો બચાવ કરતા કહ્યુ છે કે, વાઈન એ દારુ નથી.જાે વાઈનનુ વેચાણ વધશે તો મહારાષ્ટ્રના ખેડૂતોને ફાયદો થશે.
તેમણે કહ્યુ હતુ કે, વાઈન ઉદ્યોગ મોટાભાગે દ્રાક્ષ, ચીકુ, જામફળ અને અનાજ પર આધારિત છે.તેમાંથી જ વાઈન બનાવાય છે.દુકાનો અનેસુપર માર્કેટમાં વાઈનના વેચાણને મંજૂરી આપવાનો ર્નિણય ખેડૂતોના હિતમાં લેવાયો છે.જે તેનો વિરોધ કરે છે તે ખેડૂતોના દુશ્મન છે. આ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ફડનવીસે કહ્યુ હતુ કે, રાજ્ય સરકાર પેટ્રોલ અને ડિઝલ પરનો વેટ ઘટાડવાની જગ્યાએ દારુના વેચાણ માટે સુવિધાઓ આપી રહી છે.
આ મહારાષ્ટ્ર છે કે મદ્યરાષ્ટ્ર છે.કોરોનાકાળમાં ગરીબો અને ખેડૂતોની મદદ કરવા માટેની એક પણ જાહેરાત રાજ્ય સરકારે કરી નથી.તેમને માત્ર દારુની ચિંતા છે.પેટ્રોલ ડિઝલ મોંઘુ થઈ રહ્યુ છે અને દારુ સસ્તો થઈ રહ્યો છે.SSS