Western Times News

Gujarati News

ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોનમાં આઠમને રવિવારે યોજાઈ માતાજીની મહાઆરતી

DCIM100MEDIADJI_0037.JPG

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી માતાજીની મહાઆરતી કરી
ખેલૈયાઓએ સાફા પહેરીને રાસ-ગરબાની રમઝટ બોલાવી, આતશબાજી કરાઈ
રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરના ચાર ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. દરરોજ હજારો ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે નોર્થ ઝોન આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં આઠમા નોરતે રવિવારે સાંજે 7 વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી.

શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. આ મહાઆરતીમાં તમામ ટ્રસ્ટીઓ અને મહાનુભાવો પણ જોડાયા હતા. માતાજીની પધરામણી કરાઈ હતી બાદમાં ખેલૈયાઓએ સાફા પહેરીને રાસની રમઝટ બોલાવી હતી. મેદાન પર આતશબાજી કરાઈ હતી.

ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા નાના મવા સર્કલ પર પેટ્રોલપંપની બાજુના મેદાનમાં ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયેલું છે. રોશનીના ઝાકમઝોળ વચ્ચે યોજાઈ રહેલા નોર્થ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દરરોજ 6થી 7હજાર ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.

ત્યારે નવરાત્રિના આઠમા નોરતે તારીખ 6 ઓક્ટોબરના રોજ સાંજે 7 કલાકે નોર્થ ઝોન ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવોએ આ મહાઆરતીમાં જોડાઈને માતાજીની આરાધના કરી હતી. ગરબા ગ્રાઉન્ડ પર સાંજે 7 કલાકે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. સાથે જ માતાજીની પધરામણી કરવામાં આવી હતી. મહાઆરતી બાદ તમામ ખેલૈયાઓએ રંગબેરંગી સાફા પહેરીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. બાદમાં ગ્રાઉન્ડ પર આતશબાજી કરવામાં આવી હતી.

માતાજીની આ મહાઆરતીમાં નરેશભાઈ પટેલ ઉપરાંત, IAS, IPS કક્ષાના અધિકારીઓ, શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ સોમનાથના ટ્રસ્ટીઓ, અલગ-અલગ મીડિયા જૂથના તંત્રી-માલિક, ખોડલધામના કન્વીનરો, ખોડલધામ મહિલા સમિતિના સભ્યો, ખોડલધામ વિદ્યાર્થી સમિતિના સભ્યો, સરદાર પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો, અટકથી ચાલતા પરિવારના સભ્યો, સામાજિક સંસ્થાઓના સભ્યો સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌ કોઈએ આઠમના દિવસે માતાજીની મહાઆરતીનો અમૂલ્ય લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.