Western Times News

Gujarati News

સેન્સેક્સમાં ૧૮૭, નિફ્ટીમાં ૫૩ પોઈન્ટનો ઉછાળો

મુંબઈ, સોમવારે સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો, પરંતુ મંગળવારે સપ્તાહના બીજા કારોબારી દિવસે બજાર સુધર્યું અને વધારા સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ ૧૮૦ પોઈન્ટથી વધુ અને નિફ્ટી૫૦માં ૫૦ પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે બીએસઈ સેન્સેક્સ ૧૦૦૦થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો અને નિફ્ટી ૫૦ ૩૦૦થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. મંગળવારે, ૩૦ શેરનો સૂચકાંક બીએસઈ સેન્સેક્સ ૫૭,૭૯૯.૬૭ પોઈન્ટ પર ખુલ્યો હતો, જે તેના અગાઉના બંધ કરતા વધારે હતો.

આ પછી, તે દિવસમાં સૌથી વધુ ૫૭,૯૨૫.૮૨ પોઈન્ટના સ્તરે ગયો. તે જ સમયે, સેન્સેક્સ પણ ટ્રેડિંગ દરમિયાન ૫૭,૦૫૮.૭૭ પોઈન્ટની સૌથી નીચી સપાટીને સ્પર્શ્યો હતો પરંતુ અંતે કુલ ૧૮૭.૩૯ પોઈન્ટ અથવા ૦.૩૩ ટકાના વધારા સાથે ૫૭,૮૦૮.૫૮ પર બંધ રહ્યો હતો.

આ દરમિયાન કુલ ૩૦માંથી ૧૯ શેરો લીલા નિશાનમાં ટ્રેડ થતા જાેવા મળ્યા હતા. તેમાંથી ટાટાસ્ટીલ, બજાજફીનાન્સ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ, એશિયન પેઈન્ટ્‌સ અને ટાઈટન સૌથી વધુ નફાકારક હતા. તે જ સમયે, ૧૧ શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. તેમાંથી પાવરગ્રીડ, અલ્ટ્રાસેમકો, ટીસીએસ, ટેકએમ, કોટકબેંક સૌથી વધુ ઘટ્યા હતા.

બીએસઈ પર શેર ખૂલ્યાની મિનિટો પછી, તે શેર દીઠ રૂ. ૨૪૪ પર પહોંચી ગયો હતો. અદાણી વિલ્મરનો શેર બીએસઈ પર ૨૦ ટકાના વધારા સાથે રૂ. ૨૬૫.૨૦ પર બંધ થયો હતો. આ સિવાય આ શેરે એનએસઈમાં પણ સારો ફાયદો કર્યો છે.

એનએસઈ પર અદાણી વિલ્મરનો શેર ૧૬.૨૪ ટકા વધીને રૂ. ૨૬૭.૩૫ પર બંધ થયો હતો. તે જ સમયે, એનએસઈ ઇન્ડેક્સ નિફ્ટી ૫૦ સવારે ૧૭,૨૭૯.૮૫ પોઈન્ટ પર ખુલ્યો હતો અને દિવસમાં માત્ર ૧૭,૩૦૬.૪૫ પોઈન્ટ પર ગયો હતો. તે દિવસના સૌથી નીચા સ્તર ૧૭,૦૪૩.૬૫ પર પણ નોંધાયો હતો.

અંતે, તે ૫૩.૧૫ પોઈન્ટ અથવા ૦.૩૧ ટકા વધીને ૧૭,૨૬૬.૭૫ પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ, શિપ્લા, રિલાયન્સ, ડિવિસ્લેબ અને બજાજફિનસર્વ નિફ્ટી૫૦માં નફો કરનારા ટોપ-૫ શેરો છે. બીજી તરફ, ઓએનજીસી, પાવરગ્રિડ, એસબીઆઈલાઈફ, ટાટાકન્ઝ્‌યુમ અને આઈઓસી ટોપ-૫ લુઝર રહ્યા છે.

એલકેપી સિક્યોરિટીઝના રિસર્ચ હેડ એસ રંગનાથને જણાવ્યું હતું કે નીતિ નિર્માતાઓ વિકસિત બજારોમાં કિંમતમાં સૌથી ઝડપી વૃદ્ધિનો સામનો કરે છે. વૈશ્વિક શેરબજારો કેન્દ્રીય બેન્કરો દ્વારા સંભવિત ભાવો વધારવાના પડકારનો સામનો કરી રહ્યા છે.

બજારમાંથી વિદેશી રોકાણકારોના સતત આઉટફ્લોની ચિંતાએ પણ બજારના સેન્ટિમેન્ટ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભૌગોલિક રાજકીય ચિંતાઓ, તેલની વધતી કિંમતો અને નિષ્ક્રિય ઇમર્જિંગ માર્કેટ્‌સ ફંડના લાભને કારણે નિફ્ટી અત્યંત નબળો અને ૧૭હજારની નજીક બંધ થયો હતો. આરબીઆઈની નવી પોલિસી પહેલા રોકાણકારો સાવધાન છે. જાે કે, બપોરના વેપારમાં સૂચકાંકો લીલા નિશાન પર પહોંચી ગયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.