ઝઘડિયાના પડાલ ગામે શેરડી સળગાવી દીધી હોવાનો શક રાખી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના પડાલ ગામે રહેતા રોશનબેન વિજયભાઈ વસાવા ઘરકામ તથા ખેતીવાડી કરી તેમના પતિ સાથે રહી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગતરોજ સાંજના સમયે રોશનબેન તથા તેમના પતિ વિજયભાઈ ઘરે હાજર હતા.
ત્યારે તેમના ઘરની સામે આવેલ તેમનું શેરડીનું ખેતર જેમાં કોઈ અજાણ્યા ઈસમોએ આગ ચાપી શેરડીનો ઊભો પાક સળગાવી દીધો હતો.જે બાબતે તેમણે તપાસ કરાવવા માટે પોલીસ ફરિયાદ કરી હતી.
એક અઠવાડિયા પહેલા તેમના ઘરની બાજુમાં રહેતા તેમના જેઠ નો છોકરો વિનોદભાઈ જયસુખભાઈ ના ખેતરમાં પણ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તેમનું શેરડીનું ખેતર સળગાવી દીધું હતું.
જે બાબતની તેમના જેઠ ના છોકરા વિનોદે તેમના પર શક વહેમ રાખી ખોટા આક્ષેપો કરી વિનોદ વસાવા,નીતા વસાવા, શૈલેષ વસાવા, મંજુ વસાવાના ઓ તેમના ઘરે આવીને માં બેન સમાણી ગાળો બોલી ઝપાઝપી કરતા હતા અને જાે કોઈ પણ જાતની બોલાચાલી કરી છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તેઓ જતા રહ્યા હતા.જેથી રોશનબેન વિજયભાઈ વસાવાએ (૧) વિનોદ જયસુખભાઈ વસાવા (૨) નીતા વિનોદભાઈ વસાવા (૩) શૈલેષ દેવજીભાઈ વસાવા (૪) મંજુ જયસુખભાઈ વસાવા ચારેય રહે.પડાલ તાલુકો ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.