શર્માજી નમકીનના સ્ક્રીનિંગમાં હાજર રહ્યો કપૂર પરિવાર

મુંબઈ, બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન ૩૧ માર્ચે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. હાલમાં જ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું. જેમાં ઋષિ કપૂરનાં પત્ની નીતૂ કપૂર, દીકરો રણબીર કપૂર, તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ, દીકરી રિદ્ધિમા કપૂર, જમાઈ ભરત સહાની અને દોહિત્રી સમારા સહિત કપૂર પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
‘બિગ બોસ ૧૫’ ફેમ રાજીવ અડાતિયા પણ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજર રહ્યો હતો. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા રાજીવ અડાતિયાએ સ્ક્રીનિંગમાંથી નીતૂ કપૂર, રણબીર કપૂર અને તેનાં મમ્મી સહિત તેના ફેવરિટ લોકો સાથે ફોટોગ્રાફ્સ શેર કર્યા છે.
ઋષિ કપૂરને યાદ કરતાં અને તેમનાં કામને વખાણતાં રાજીવે લખ્યું, “ગત સાંજ ખાસ હતી કારણકે અમે વહાલા ઋષિ કપૂરનું છેલ્લું પર્ફોર્મન્સ ‘શર્માજી નમકીન’માં જાેયું. ખૂબ સુંદર ફિલ્મ છે. આ ફિલ્મમાં તેમને જાેયા પછી લાગશે કે લેજેન્ડ ક્યારેય મરતાં નથી તેઓ હંમેશા જીવિત રહે છે. અમે તમને પ્રેમ કરીએ છીએ ઋષિ અંકલ, યાદ પણ કરીએ છીએ. ઋષિ કપૂરની દીકરી રિદિ્ઘમા કપૂરે પણ ફિલ્મના સ્ક્રીનિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં ફિલ્મમાંથી ઋષિ કપૂરની ઝલક પણ જાેવા મળે છે.
રિદ્ધિમાએ લખ્યું, “પપ્પા શારીરિક રીતે અમારી વચ્ચે નથી રહ્યા તેના બે વર્ષ થયા છે પરંતુ તેમનું આકર્ષણ આજે પણ અનુભવી શકાય છે. લેજન્ડ હંમેશા જીવતા રહે છે અને હંમેશા રહેશે. આજે મેં મારા પિતા, અદ્ભૂત એક્ટર, સમર્પિત દીકરા અને ભાઈ, પ્રેમાળ પતિ અને બ્રહ્માંડના સૌથી સારા પિતાની ફિલ્મ જાેઈ.
તેમની દીકરી હોવાનો મને ગર્વ છે. પરેશજી ફિલ્મ પૂરી કરવા માટે તમારો આભાર. અમારો પરિવાર હંમેશા તમારો ઋણી રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજીવ અડાતિયા ‘બિગ બોસ ૧૫’ના ઘરમાંથી બહાર થયા બાદ નીતૂ કપૂર અને પરિવારના અન્ય સભ્યો સાથે ડિનર લેતો જાેવા મળે છે.
થોડા દિવસ પહેલા જ રાજીવે નીતૂ કપૂર, રીમા જૈન સાથે ડિનર લીધું હતું. આ તરફ ઋષિ કપૂરની વાત કરીએ તો, એપ્રિલ ૨૦૨૦માં કેન્સરના કારણે તેમનું અવસાન થયું હતું. બે વર્ષ સુધી તેઓ કેન્સર સામે જંગ લડ્યા હતા. ઋષિ કપૂરનું નિધન થતાં ફિલ્મ પરેશ રાવલે પૂરી કરી હતી. આ પહેલી ફિલ્મ છે જેમાં એક જ પાત્ર બે અલગ-અલગ અભિનેતાઓ દ્વારા ભજવવામાં આવ્યું છે.SSS