કર્ણાટકમાં હિજાબ વિવાદ યથાવતઃ ૨૩૧ વિદ્યાર્થીનીઓએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો
બેંગ્લોર, કર્ણાટકમાં હાઈકોર્ટના ચુકાદા છતાં હિજાબ વિવાદ યથાવત છે અને સુપ્રીમ કોર્ટમાં આ અંગે હજુ સુનાવણી થઈ રહી છે તે વચ્ચે આજે હિજાબ પહેરીને ૨૩૧ વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપવા ગઈ હતી પણ તેઓને હિજાબ સાથે પરીક્ષામાં પ્રવેશની મંજુરી ન અપાતા તેઓએ પરીક્ષાનો બોયકોટ કર્યો છે તથા બાદમાં પરીક્ષા સ્થળ બહાર દેખાવો પણ કર્યા હતા.
કર્ણાટક હાઈકોર્ટે હિજાબને જરૂરી બનાવ્યો નથી અને આ વિવાદ હજુ સુપ્રીમમાં છે તે વચ્ચે અહીના ઉપ્પીનંગાડીમાં પી.યુ. કોલેજની પરીક્ષા શરુ થઈ છે અને ગઈકાલે ૨૩૧ છાત્રાઓ હિજાબ સાથે પહોંચી હતી. પરંતુ તેમને પરીક્ષામાં બેસતા પુર્વે હિજાબ દુર કરવા જણાવાયું હતું પણ છાત્રાઓએ ઈન્કાર કરીને પરીક્ષા નહી આપવાનું પસંદ કર્યુ છે.HS