Western Times News

Gujarati News

હું ભારતીય મહિલા છું, મારા પતિને છૂટાછેડા નહીં આપું.: રેશ્મા સોલંકી

અમદાવાદ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની પુત્રવધૂ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશમા સોલંકીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઘરેલુ હિંસાનો સામનો કરી રહેલી રેશમા સોલંકીએ આરોપ લગાવ્યો કે હું સલામતી માટે અમેરિકા ગઈ હતી. જ્યારે હું ત્યાંથી પરત ફરી ત્યારે મેં ૨-૩ વાર ઘરમાં પ્રવેશ મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ મને કાઢી મુકવામાં આવી હતી. અને કહ્યું કે જાે હું પાછો આવીશ તો જાનથી મારી નાખવામાં આવશે.

રેશ્મા સોલંકીએ કહ્યું કે તેનો પતિ મારી વિરુદ્ધ રાજકીય કનેક્શનનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, તેણે મારપીટનો આરોપ પણ લગાવ્યો. રેશ્માએ કહ્યું કે એકવાર તેમને નોટિસ મોકલવામાં આવી હતી, જેના કારણે સમાજમાં મારી અને મારા પરિવારની ઘણી બદનામી થઈ હતી.

રેશ્માએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી પર આરોપ લગાવતા કહ્યું કે મને બદનામ કરવા માટે મારા વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તેણે કહ્યું કે નારાજ થઈને તેણે આ મામલે કોર્ટનો સંપર્ક પણ કર્યો છે.

આ ઉપરાંત મેં આણંદના એસપી પાસે મારી સુરક્ષાની પણ માંગણી કરી છે. ભરતસિંહ સોલંકીને છૂટાછેડા આપવાની વાત કરતાં તેણે કહ્યું કે હું એક ભારતીય મહિલા છું અને મારા પતિનો સાથ નહીં છોડું.તે જ સમયે, તાજેતરમાં જ, ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ અખબારોમાં એક નોટિસ પ્રકાશિત કરી હતી જેમાં તેમની છૂટી ગયેલી પત્ની સાથે કોઈપણ પ્રકારની નાણાકીય અથવા અન્ય લેવડદેવડ કરનારા લોકો સામે કાયદાકીય પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે સોલંકી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદના મુખ્ય દાવેદારોમાંના એક છે. સોલંકીના એડવોકેટ કિરણ તપોધન દ્વારા જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “સોલંકીની પત્ની રેશ્માબેન છેલ્લા ચાર વર્ષથી મારા અસીલ સાથે રહેતી નથી.

તે તેનાથી અલગ રહીને મનસ્વી વર્તન કરી રહી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “મારો ક્લાયંટ રાજકીય અને સામાજિક રીતે આદરણીય વ્યક્તિ છે, તેથી કોઈએ પણ તેના નામ અને ઓળખનો દુરુપયોગ કરીને તેની અલગ પડેલી પત્ની સાથે કોઈ વ્યવહાર ન કરવો જાેઈએ.” જાે કોઈ વ્યક્તિ આવું કરશે તો મારા ક્લાયન્ટ તેના માટે જવાબદાર રહેશે નહીં. જાે મારા ક્લાયન્ટને આવા કોઈ વ્યવહારની જાણ થશે, તો તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશ્મા સોલંકી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ભરતસિંહ સોલંકી રેશ્માને છૂટાછેડા આપવા માંગે છે અને રેશ્મા સોલંકી તેનો ઇનકાર કરી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.