Western Times News

Gujarati News

ભુજનાં માર્ગદર્શક અને રાહબર શ્રી તારાચંદભાઇ છેડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભુજ: તા. ૨૫-૪-૨૦૨૨ માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શક અને રાહબર શ્રી તારાચંદભાઇ છેડાનું અવસાન થતાં સંસ્થા દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. માનસિક દિવ્યાંગોનાં શ્રી રામદેવ સેવાશ્રમ પાલારાના નિર્માણ કાર્ય અને માનવજ્યોતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં એમનું હરહંમેશ ઉપયોગી માર્ગદર્શન મળી રહેતું.

તેઓનાં અવસાનથી સંસ્થાને નપૂરાય તેવી ખોટ પડી છે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદભાઇ ઠક્કર, સુરેશભાઇ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જાેષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા તથા માનવજ્યોત પરિવાર દ્વારા તેઓને અંજલિ આપવામાં આવેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.