Western Times News

Gujarati News

મંદિર હોય કે મસ્જિદ, ગેરકાયદેસર અને મોટા અવાજ હોય તો લાઉડસ્પીકર નીચે ઉતારો : યોગીનો આદેશ

લખનૌ, સમગ્ર દેશમાં લાઉડ સ્પીકરને લઈને ઉભા થયેલા વિવાદ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકારે કડક નિર્દેશ આપ્યા છે. સરકાર તરફથી દરેક સ્ટેશનને નિર્દેશિત કરવામાં આવ્યા છે કે મંદિર હોય કે પછી મસ્જિદ જ્યાં પણ ગેરકાયદે લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે તેને તરત ઉતારવામાં આવે. સાથે જ નક્કી ધોરણ મુજબ જ લાઉડસ્પીકરનો ઉપયોગ ધાર્મિક સ્થળ પર થાય.

આ સંબંધમાં અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ શાસનદેશ જારી કરતા તમામ સ્ટેશનને કહ્યુ છે કે અભિયાન ચલાવીને ગેરકાયદેસર અને મોટા અવાજમાં વગાડનાર લાઉડસ્પીકરને તાત્કાલિક હટાવવામાં આવે. સાથે જ 30 એપ્રિલ સુધી કાર્યવાહીનો રિપોર્ટ શાસનને મોકલવામાં આવે. આવુ ન કરવા પર સંબંધિત સ્ટેશન ઈન્ચાર્જ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

અવનીશ અવસ્થીએ જિલ્લાના પોલીસ અધિકારો અને કમિશ્નરેટ વાળા જિલ્લાના પોલીસ કમિશ્નરોને આદેશ આપ્યા છે કે ધર્મગુરુઓ સાથે સંવાદ કરીને ગેરકાયદેસર લાઉડસ્પીકરને હટાવવામાં આવે.

સાથે જ જે ગેરકાયદે છે તેમના અવાજના નિર્ધારિત ધોરણના અનુપાલન સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે 10 માર્ચ 2018 અને 4 જાન્યુઆરી 2018 ના શાસનાદેશનો હવાલો આપતા કહ્યુ કે નિયમોનુ પાલન સુનિશ્ચિત જ. સાથે જ એ પણ કહેવામાં આવ્યુ છે કે આવા ધર્મસ્થળોની યાદી તૈયાર કરવામાં જ્યાં નિયમોની અનદેખી કરવામાં આવી રહી છે.

એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યુ કે પ્રદેશમાં અત્યાર સુધી 125 ધાર્મિક સ્થળોથી લાઉડસ્પીકર હટાવવામાં આવે છે. આ સિવાય લગભગ 17 હજાર લોકોએ પોતે જ આનો અવાજ ઓછો કરી દીધો છે.

તેમણે જણાવ્યુ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યા છે કે ધાર્મિક સ્થળ પર ધોરણ મુજબ જ લાઉડસ્પીકરનો ઉપયોગ થાય. આનો અવાજ માત્ર પરિસરમાં જ રહે. આ આદેશ બાદ લાઉડસ્પીકર ઉતરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.