Western Times News

Gujarati News

પરશુરામ જયંતીના દિને ખેડબ્રહ્મામાં બ્રહ્મસેના દ્વારા શોભાયાત્રા યોજાઇ.

અદમ્ય પરાક્રમ, શૌર્ય, ભક્તિ અને શક્તિના પ્રતીક ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની જયંતી નિમિત્તે આજે તા.૩-૫-૨૨ નારોજ સવારે ખેડબ્રહ્મા બ્રહ્મસમાજ દ્વારા શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઇ. આ યાત્રામાં સુંદર સુશોભિત રથ હતો અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો બાઇક રેલી સ્વરૂપે આવ્યા હતા.

આ શોભાયાત્રાનો પ્રારંભ ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિરે થી થયો હતો. આ શોભાયાત્રા બ્રહ્માજી ચોક, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન, સરદાર ચોક થઈ અર્બુદા મંદિરે સમાપન થઈ હતી.

આ રેલી દરમિયાન સરદાર ચોકમાં ખેડબ્રહ્મા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા દ્વારા સૌને ઠંડા પીણા અપાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.