અમૃત સરોવર યોજના અંતર્ગત જળસંચયની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે
જિલ્લા માહિતી કચેરી, નડીયાદ
આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા હોઇ રાજ્યના દરેક જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત ૭૫ તળાવો નવા બનાવવાના, ઊંડા કરવાના અથવા જૂના રીચાર્જ કરવામાં આવનાર છે. સુજલામ સુફલામ જળ અભિયાન તથા અમૃત સરોવર યોજના અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા જળસંચયની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. ત્યારે ખેડા જિલ્લાના જળસંચયના કામો પણ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે પ્રમાણે કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. તસ્વીરમાં વસો તાલુકાના હેરંજ ગામના તળાવ ર્દશ્યમાન થાય છે.