Western Times News

Gujarati News

આઈ હોસ્પિટલમાં ૧૦ અધ્યતન ઓપરેશન થિયેટરોનો શુભારંભ કરવામાં આવ્યો

(પ્રતિનિધિ) ગોધરા, શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત શ્રી આઈ હોસ્પિટલ નારાયણ તાજપુરા મુકામે આવેલ છે જેમાં વડોદરા , લુણાવાડા , બોડેલી , ડભોઇ જેવા જુદા જુદા સ્થળોએ આવેલ નારાયણ વિઝન સેન્ટરથી દર્દીઓને તાજપુરા હોસ્પિટલ સુધી લાવવા લઈ જવાની વ્યવસ્થા તથા તાજપુરામાં દર્દીઓને રહેવા ખાવા પીવાની , દવા , ઓપરેશનની વ્યવસ્થા સાથે સાથે ઓપરેશન પછીની જરૂરી બધી જ સુવિધા અને સારવાર બિલકુલ નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે . શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાં વર્ષે ૫૫ હજાર કરતાં વધુ ઓપરેશન કરવામાં આવે છે .

આ સુવિધાઓ માં આજરોજ સેન્ટ્રલાઈઝ એરકન્ડીશન ની સુવિધા સાથેના વધુ ૧૦ અદ્યતન ઓપરેશન થિયેટરનો ઉમેરો કરવામાં આવ્યો હતો . વધુ ૧૦ અદ્યતન ઓપરેશન થિયેટર ઉમેરાતા હવે દર્દીઓના ઓપરેશન ની સંખ્યા વધશે અને અદ્યતન સારવાર દર્દીઓને બિલકુલ નિશુલ્ક મળી રહેશે .

ઓપરેશન થિયેટર તથા તેની સાથે બ રૂમ , બ્લોક રૂમ , ચેન્જંગ રૂમ , સ્ટરલાઇટ રૂમ તથા દર્દીઓ માટે વેઇટિંગ રૂમની પણ એર કન્ડિશન સુવિધાઓ સહિત ઊભી કરવામાં આવી આ જુદી જુદી સુવિધા ઓ નું ઉદ્‌ઘાટન નારાયણ પરિવારના ભક્તો તથા જુદા જુદા સભ્યો દ્વારા કરવામાં આવ્યાં હતાં . ઉદ્‌ઘાટન મુખ્યત્વે શ્રી નારાયણ પરિવારના છાણી , મુંબઈ , નાસિક , હાલોલ , તાજપુરા વડોદરા જેવા અન્ય જુદા જુદા સ્થળોએ રહેતા શ્રી નારાયણ પરિવારના સભ્યો ભક્તો દ્વારા કરવામાં આવ્યાં હતાં .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.