ગંગા નદીના પ્રભુ ઘાટ પર બોટ પલટી, ૪ લોકો ડૂબ્યા
વારાણસી, ઉત્તર પ્રદેશના વારાણસીમાં સોમવારે એક મોટી દુર્ઘટના થઈ હતી. ગંગા નદીના પ્રભુ ઘાટ પર બોટ પલટી ગઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બોટમાં બેઠેલા ૬ લોકો ડૂબી ગયા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો બોટમાં બેસીને બોટિંગ કરી રહ્યા હતા, ત્યારે પાણી ભરાવના કારણે બોટ પલટી ગઇ હતી. બોટ પલટી ગયા બાદ ખલાસીઓએ નદીમાં કૂદીને ૨ લોકોના જીવ બચાવ્યો હતો. જ્યારે ૪ લોકોની શોધખોળ ચાલુ છે. સ્થાનિક પોલીસ અને મરજીવાઓ લોકોને શોધખોળની કામગીરીમાં લાગ્યા છે.HS2