સમશેરપુરામાં ચંદનચોર ટોળકીએ ચંદનના ૧૩ વૃક્ષોની ચોરી કરી

વડગામ, ઉત્તર ગુજરાતમાં ચંદનના વૃક્ષોની ચોરી કરતી ટોળકી સક્રીય થઈ છે. ઈડર સહીતના પંથકમાં ચંદનના વૃક્ષોની ચોરી થયા બાદ હવે બનાસકાંઠાના વડગામના સમશેરપુરા ગામે ચંદનચોર ટોળકીએ તરખાટ મચાવ્યો છે.
રાત્રીના સમયે સમશેરપુરા ગામના ૬ ખેડૂતોના ખેતરમાં ઉભેલા રપ વર્ષ જુના ચંદનના ૧૩ વૃક્ષોના થડ આશરે ૧૦થી૧ર ફૂટ લંબાઈના કટીગ કરી તેની ચોરી કરી તેમજ ૧૮ વૃક્ષોને કાપીને નુકશાન પહોંચાડી ચંદનચોર તસ્કરો ફરાર થઈ ગયા છે. જેને લઈને ખેડૂતોને રપ લાખ રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે.
જેને લઈને ખેડૂતોએ વડગામ પોલીસ મથકે ફરીયાદ નોધાવી છે. ખેડૂતોનું કહેવું છે કે અમે ખેતરોમાં રપ વર્ષ પહેલાં ચંદનના છોડનું વાવેતર કર્યું હતંું જે છોડ હાલ મોટા વૃક્ષો બની ગયા હતા જે તમામ વૃક્ષોનું અમારા બાળકની જેમ જતન કર્યું હતું. અજાણ્યા તસ્કરોએ આ વૃક્ષોને કાપીને ચોરી કરી ફરાર થઈ ગયા છે.