Western Times News

Gujarati News

ભાભી સાથે અનૈતિક સંબંધ ધરાવતા પતિએ પત્નીની હત્યા કરી

પ્રતિકાત્મક

લગ્ન બાદથી નિયાઝ ખાન અને રૂબીના ખાતૂન દ્વારા દહેજમાં મોટરસાયકલની માંગણી કરવામાં આવી રહી હતી

ગેરકાયદેસર સંબંધનો કરૂણ અંજામ

કૈમુર,ભાભી સાથે અનૈતિક સંબંધ ધરાવતા પતિએ પત્નીની હત્યા કરી નાખી. ઘટનાનું દર્દનાક પાસું એ હતું કે હત્યા કરાયેલી મહિલાના લગ્ન ૨૧ દિવસ પહેલા જ થયા હતા. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો, ત્યારે પોલીસે કોઈપણ વિલંબ કર્યા વિના ઝડપી કાર્યવાહી કરી અને ૨૪ કલાકમાં હત્યા કેસનો ખુલાસો કર્યો. ગેરકાયદેસર સંબંધમાં પત્નીની હત્યાનો આ મામલો બિહારના કૈમુર જિલ્લાનો છે. ચૈનપુરના સિકંદરપુર ગામમાં ૨૪ કલાકની અંદર નવ પરિણીત મહિલાના હત્યા કેસનો ખુલાસો કરતા પોલીસે પતિ અને ભાભીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નવપરિણીત મહિલાની અવૈધ સંબંધમાં દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથે હત્યામાં વપરાયેલ દુપટ્ટો પણ કબજે કર્યો છે. મૃતકની બહેન સલમાએ જણાવ્યું હતું કે, રૂકસાના ખાતૂનની હત્યા દહેજના કારણે કરવામાં આવી છે કારણ કે નિયાઝ ખાન વારંવાર અપાચે મોટરસાઇકલની માંગણી કરતો હતો. અમારા માતા-પિતાનું અવસાન થયું છે, જેના કારણે અમે આટલી જલ્દી મોટરસાઇકલ આપી શક્યા ન હતા અને નિયાઝ ખાન હંમેશા મારી બહેનને દહેજ માટે ત્રાસ આપતો હતો.

આ બાબતની માહિતી આપતા ભબુઆના ડીએસપી સુનીતા કુમારીએ જણાવ્યું કે, ૬ જુલાઈ, ૨૦૨૨ના રોજ ચેનપુર પોલીસ સ્ટેશનને યુપીના ચંદૌલી જિલ્લાના બસિલા પોલીસ સ્ટેશનના રહેવાસી મૃતક નવદંપતીના સંબંધી મુસરત ખાન દ્વારા જાણ કરવામાં આવી હતી કે, નિયાઝ ખાન તેની સાથે ભાભી રૂબીના ખાતૂન સાથે મળીને બહેન રૂકસાના ખાતૂનની દહેજની માંગણી માટે હત્યા કરવામાં આવી છે અને બંને લોકો મળીને લાશને દફનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગેની જાણ થતાં ચૈનપુર પોલીસ દ્વારા સિકંદરપુર ગામમાં પહોંચીને ઝડપી કાર્યવાહી કરી મૃતકની લાશનો કબજાે લેવામાં આવ્યો હતો.

આ ઘટનાના સંબંધમાં, મુસરત ખાનની લેખિત અરજીના આધારે, નિયાઝ ખાન અને રૂબીના ખાતૂન વિરુદ્ધ ચૈનપુર પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ નોંધવામાં આવી હતી. ડીએસપી સુનીતા કુમારીએ જણાવ્યું કે, રૂકસાના ખાતૂનના લગ્ન ૧૫ જૂન ૨૨ના રોજ જ થયા હતા. તેના પતિ અને ભાભીએ પોતાના ગેરકાયદે સંબંધો છુપાવવા માટે રૂકસાના ખાતુનની હત્યા કરી હતી અને ઘટનાને અંજામ આપ્યા બાદ બંને ફરાર થઈ ગયા હતા, જેમને પોલીસે ખૂબ જ પ્રયત્નો બાદ ૧૨ કલાકમાં જ પકડી પાડ્યા છે.

હત્યાના તબક્કે એ વાત સામે આવી છે કે નિયાઝ ખાનને તેની ભાભી રૂબીના ખાતૂન સાથે ગેરકાયદેસર સંબંધો હતા, જેના કારણે રૂબીના ખાતૂન આ લગ્નથી ખુશ ન હતી. લગ્ન બાદથી નિયાઝ ખાન અને રૂબીના ખાતૂન દ્વારા દહેજમાં મોટરસાયકલની માંગણી કરવામાં આવી રહી હતી અને રૂકસાના ખાતૂન આ માંગણી પુરી ન કરવા પર ત્રાસ ુજારતી હતી.
ભાભીના પ્રેમમાં પાગલ બન્યો દીયર, પત્નીની કરી દીધી હત્યાSS1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.