દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૧,૫૬૬ કેસ
નવીદિલ્હી, ચોથી કોવિડ વેવની આશંકા વચ્ચે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. દેશમાં ફરી એકવાર ૨૧ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, ગુરુવારે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨૧,૫૬૬ નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન ૪૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૧,૪૮,૮૮૧ થઈ ગઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૨૯૪ દર્દીઓ આ જીવલેણ વાયરસને હરાવવામાં સફળ રહ્યા છે અને આ સંખ્યા વધીને ૪,૩૧,૫૦,૪૩૪ થઈ ગઈ છે. હવે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૪,૩૮,૨૫,૧૮૫ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં ૫,૨૫,૮૭૦ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં સક્રિય કેસોમાં ૩,૨૨૭ નો વધારો થયો છે. દેશમાં હાલમાં સકારાત્મકતા દર ૪.૨૫% છે.HS1MS