છોટે મોરારીબાપુ સેંકડો સમર્થકો સાથે AAPમાં જાેડાયા

અમદાવાદ, આમ આદમી પાર્ટીના નેશનલ જાેઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીને હવે ગુજરાતમાં સૌ કોઈ પસંદ કરી રહ્યું છે.
આમ આમ આદમી પાર્ટી ગુજરાતની પહેલી પસંદ બની રહી છે અને રોજ કોઈ ને કોઈ મહાનુભાવો ગુજરાતની જનતાની સેવા માં યોગદાન આપવા માટે આમ આદમી પાર્ટીમાં જાેડાઈ રહ્યા છે. તે જ કડીમાં આગળ વધતા ગુજરાતના ખુબ જ જાણીતા, અને દરેક સમાજના લોકપ્રિય સંત કથાકાર સંત છોટે મોરારીબાપુ તેમના સેંકડો સમર્થકો સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે.
ગુજરાતના જાણીતા કથાકાર સંત છોટે મોરારીબાપુ ૫૦ વર્ષથી ગુજરાત, રાજસ્થાન, એમપી, અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા અને કેનેડામાં કુલ ૭૦૦ કથાઓ કરી ચૂક્યા છે. એમના નીચે ગુજરાતમાં ૩૦૦ મહિલા મંડળો ચાલે છે, આશરે ૧૫૦ ભજન મંડળી ચાલે છે એ સિવાય આશરે ૧૫ લાખ ઉપર એમના અનુયાયો છે.
એમણે આશરે સો સ્કૂલોમાં અને પ્રાથમિક શાળાઓમાં ગરીબ દીકરીઓને ભણવા માટે આખી કીટ આપેલ છે. ગોસ્વામી સમાજમાં મહેસાણા તાલુકાના ૧૧૮ ગામમાં ધોરણ એક થી માડી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને આખા વર્ષ માટે ચોપડા આપેલ છે.
જન સેવા એજ પ્રભુ સેવા એ એમના જીવનનો મંત્ર રહ્યો છે. તેમનું માનવું છે કે જે પાર્ટી ગુજરાતમાં ગરીબો માટે કામ કરશે એ રાજકીય પાર્ટીને તન મન ધનથી મદદ કરશું, જરૂર પડે તો પૂજ્ય છોટે મોરારીબાપુ પણ તેમના પ્રચારમાં નીકળશે.
સમગ્ર ગોસ્વામી સમાજ એક સંત તરીકે છોટે મોરારીબાપુને માન આપે છે. અને બાપુ કહે એમ કરે છે. સમાજ માટે તેઓ ખુબ જ સક્રિય છે. તેઓ સાબરમતી ગોસ્વામી સમાજમાં પણ તન ,મન અને ધન થી સાથ સહકાર આપે છે. ત્રણ વખત નોટબુક ચોપડા તમામ વિદ્યાર્થીઓને આપેલ છે . સાબરમતી ગોસ્વામી સમાજના દરેક વાર્ષિક પ્રસંગમાં આશીર્વચન આપવા તેઓ પધારે છે.
આમ આદમી પાર્ટીના નેશનલ જાેઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ટોપી અને ખેસ પહેરાવીને ગુજરાતના જાણીતા કથાકાર સંત છોટે મોરારીબાપુનું તેમના સેંકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું.