Western Times News

Gujarati News

એજાઝ ખાન અને પવિત્રા પુનિયાએ કરી લીધી સગાઈ

મુંબઈ, વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ ૧૪’ના ઘરમાં સાથે રહેવા દરમિયાન એજાઝ ખાન અને પવિત્રા પુનિયા પ્રેમમાં પડ્યા હતા. શોમાંથી બહાર આવ્યા ત્યારથી તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે અને હવે તેમણે તેમના સંબંધોને એક નવું નામ આપતાં સગાઈ કરી લીધી છે. આ ગુડન્યૂઝ કપલે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને સાથે રોમાન્ટિક તસવીરો પણ શેર કરી છે.

આ તસવીરોમાં પવિત્રા તેની એન્ગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરતી જાેવા મળી. એજાઝ ગર્લફ્રેન્ડ પવિત્રાને ડિનર ડેટ પર લઈ ગયો હતો અને ત્યાં જ રિંગ પહેરાવીને મેરેજ માટે પ્રપોઝ કર્યું હતું, તો એક્ટ્રેસે પણ તરત જ હા પાડી દીધી હતી.

એજાઝ ખાને જે પોસ્ટ શેર કરી છે, તેમાં પહેલી તસવીરમાં તેના હાથમાં રિંગ જાેવા મળી રહી છે, બીજી તસવીરમાં પવિત્રા શરમાઈ રહી છે, ત્રીજી તસવીરમાં એજાઝે તેને રિંગ પહેરાવી દીધે છે અને અંતિમ તસવીરમાં તેણે તેની પ્રપોઝલ રિંગ દેખાડી છે. આ સાથે લખ્યું છે ‘બેબી, જાે આપણે યોગ્ય સમયની રાહ જાેત તો તે ક્યારેય આવવાનો જ નહોતો. પરંતુ હું વચન આપું છું કે, હંમેશા તને શ્રેષ્ઠ આપીશ.

શું તું મારી સાથે લગ્ન કરીશ? તેણે ‘હા’ પાડી’. પવિત્રાએ કોમેન્ટમાં લખ્યું છે ‘ભગવાન આપણને ખરાબ નજરથી બચાવે. આપણી વચ્ચે માત્ર આમ જ પ્રેમ યથાવત્‌ રહે’. પોસ્ટ પર કોમેન્ટ કરીને કો-કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી જાસ્મિન ભસીને કપલ પાસેથી પાર્ટી માગી છે, તો અલી ગોની, મનુ પંજાબી, નેહા નારંગ, અયાઝ ખાન તેમજ અદા ખાન સહિતના ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્‌સ તેમજ ફેન્સે અભિનંદન પાઠવ્યા છે.

એજાઝ ખાન સાથે લગ્નના પ્લાન વિશે વાતચીત કરતાં પવિત્રા પુનિયાએ જણાવ્યું હતું કે, ‘દરેક વ્યક્તિ અમને અમારા લગ્ન વિશે પૂછતી રહે છે પરંતુ પ્રામાણિકતાથી કહું તો અમે લગ્ન વગર ખુશ છીએ. જ્યારે તમે લાંબા સમય સુધી કોઈની સાથે રહેતા હો ત્યારે એકબીજાને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ તરીકે જાેવાનું બંધ કરી દો છો.

પરંતુ અમે ક્યારે ઓફિશિયલ એકબીજાને પતિ-પત્ની તરીકે જાહેર કરીશું તે અમારા હાથમાં નથી. આ વર્ષે જ લગ્ન કરી લઈશું તેવું પ્લાનિંગ અમે ગયા વર્ષથી કરી રહ્યા છીએ, આ વખતે પણ તેવું જ પ્લાનિંગ છે. અમે ઘડિયા લગ્ન કરીશું કારણે કે મારું જીવન અત્યંત વ્યસ્ત છે’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.