Western Times News

Gujarati News

શાલિન અને સુમ્બુલ તૌકીર ખાનના સંબંધોમાં તિરાડ

મુંબઈ, બિગ બોસ ૧૬માં શાલિન ભનોટ અને સુમ્બુલ તૌકીર વચ્ચે શું ચાલી રહ્યું છે તે દર્શકોને સમજાઈ રહ્યું નથી. તેમના સંબંધોને લઈને માત્ર કો-કન્ટેસ્ટન્ટ્‌સ જ નહીં પરંતુ એક્ટ્રેસના પિતા પણ સવાલ ઉઠાવી ચૂક્યા છે અને સુમ્બુલને સમજાવી ચૂક્યા છે.

પરંતુ બંને પર તેની અસર જાેવા મળી રહી નથી. શાલિન વારંવાર સુમ્બુલને દુઃખ પહોંચાડી રહ્યો છે. ગત એપિસોડમાં કેપ્ટનસી ટાસ્ટ દરમિયાન બે દાવેદારોના નામ આપવાના હતા પરંતુ શાલિને સુમ્બુલના બદલે ટીના દત્તાનું નામ આપ્યું હતું. જેના કારણે તેને ખોટું લાગ્યું હતું. અપકમિંગ એપિસોડમાં હવે શાલિન કંઈક એવું કરવાનો છે, જેનાથી સુમ્બુલને સૌથી મોટો આંચકો લાગશે.

ચેનલના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી બિગ બોસ ૧૬ના અપકમિંગ એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે, જેમાં અર્ચના ગૌતમ અને ગોરી નાગોરી વચ્ચે ભયંકર ઝઘડો થતો જાેવા મળી રહ્યો છે. ખાવાની વસ્તુઓ ફેંકવાને લઈને બંને મારમારી પર ઉતરી આવે છે.

અર્ચના પૂછે છે ‘આવાકાડો કોણે ફેંક્યું?’ તેના પર ગોરી કહે છે ‘મેં નથી ફેંક્યું, આ કામ તારું જ છે’. તેના પર અર્ચના કહે છે ‘શાંતિથી વાત કર, મેં નથી ફેંક્યું’. ગોરી અટકતી નથી અને અર્ચના પર આવાકાડો ફેંકવાનો આરોપ લગાવે છે. અર્ચના ગૌતમ પોતાનો પિત્તો ગુમાવી બેસે છે.

તે ગોરીને કહે છે ‘ભસી કેમ રહી છે?’ ગોરી તેને જવાબ આપે છે ‘હું તો ભસવાની. તું શું ઉઘાડી લઈશ?’. પ્રિયંકા ચૌધરી તેમના ઝઘડામાં વચ્ચે પડે છે અને ગોરીને કહે છે કે, તેણે અર્ચનાને જાેઈ હોય તો જ નામ લે.

અર્ચના આ દરમિયાન તેના મમ્મી કસમ ખાય છે અને મારામારી દરમિયાન ગોરી પર પાણી ફેંકે છે. તો ગોરી પણ જગ ભરીને અર્ચના પર પાણી નાખે છે.

ગોરી નાગોરી અને અર્ચના ગૌતમના ઝઘડામાં પડેલી પ્રિયંકાને જગ વાગે છે. તે ગોરીને આ વાત કહે છે પરંતુ તે સાંભળવા તૈયાર જ નથીય ત્યારે જ પ્રિયંકા કહે છે ‘મારી સાથે પંગા ન લે’. ત્યારે ગોરી તેને મારવા માટે પગ ઉઠાવે છે.

આ અંગે બિગ બોસનો ર્નિણય શું છે હશે તે આગામી એપિસોડમાં જાેવા મળશે. પ્રોમોના બીજા ભાગમાં બિગ બોસના તમામ કન્ટેસ્ટન્ટ્‌સને તેવા બે નામ આપવાનું કહેવામાં આવે છે, જેનું શોમાં યોગદાન સૌથી ઓછું છે. તેના પર તમામ સુમ્બુલ તૌકીર ખાન અને માન્યા સિંહનું નામ આપે છે. શાલિન ભનોત અને ટીના દત્તા પણ તેનું જ નામ લે છે.

ત્યારબાદ બંને કન્ટેસ્ટન્ટે આગામી આદેશ સુધી બ્લેક માસ્ક પહેરીને રાખવાનું છે. ગાર્ડન એરિયામાં બેઠેલી ટીના દત્તા સુમ્બુલને બોલાવે છે પરંતુ શાલિન કહે છે કે તે નહીં આવે.

એક્ટરે તેમ પણ કહ્યું કે, તેને આમ જાેઈને સારું લાગી રહ્યું નથી. ટીના શાલિનને સંભાળે છે ત્યારે જ સુમ્બુલ આવે છે અને કહે છે શાલિનને જરાય ફરક પડતો નથી. તેના પર શાલિન કહે છે, ‘જાે તું જઈશ તો મને સારું નહીં લાગે. હું હંમેશા તારી સાથે રહીશ, જેને જેમ લાગતું હોય તેમ લાગે’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.