ગુજરાતના આદિવાસી મતદારોને આકર્ષવા મોદી ૧ નવેમ્બરે બાંસવાડાના માનગઢમાં રેલીને સંબોધશે

માનગઢ ધામનો લગભગ ૮૦ ટકા ભાગ રાજસ્થાનમાં છે, જ્યારે બાકીના ૨૦ ટકા ગુજરાતમાં પડે છે
બાંસવાડા, રાજસ્થાનના આદિવાસી બાહુલ્ય ધરાવતા બાંસવાડા જિલ્લાના માનગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી યોજાવાની છે. જાે કે આ રેલી રાજસ્થાનમાં થઈ રહી છે, પરંતુ તેની અસર રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ જાેવા મળે તેવી શક્યતા છે.
રાજકીય નિષ્ણાતોનું માનીએ તો આ રેલી દ્વારા વડાપ્રધાન રાજસ્થાનના આદિવાસી મતદારો ઉપરાંત મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. તેની સીધી અસર ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં જાેવા મળી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ૧ નવેમ્બરે વડાપ્રધાન મોદી માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે પણ જાહેર કરી શકે છે. સંસ્કૃતિ મંત્રાલય આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહ્યું છે. આ માટે તાજેતરમાં જ રાજસ્થાનના ઘણા નેતાઓ સાથે સાંસ્કૃતિક મંત્રાલયના અધિકારીઓની બેઠક પણ યોજવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ભૌગોલિક રીતે રાજસ્થાનમાં, પરંતુ ગુજરાતની સરહદને સંપૂર્ણપણે અડીને આવેલા માનગઢને આદિવાસીઓની ઓળખ અને સન્માનનું પ્રતિક માનવામાં આવે છે. રાજકીય જાણકારોના મતે ગુજરાતમાં ચૂંટણી યોજાવાની હોવાથી છે. તેથી આવી સ્થિતિમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ માનગઢમાંથી ભીલ સમાજના લોકોને સંદેશ આપશે તો તેની અસર ગુજરાતના આદિવાસીઓ સુધી પહોંચશે.
માનગઢ ધામનો લગભગ ૮૦ ટકા ભાગ રાજસ્થાનમાં છે. જ્યારે બાકીના ૨૦ ટકા ગુજરાતમાં પડે છે. માનગઢની આસપાસ, ગુજરાતના ૬ જિલ્લાઓ એટલે કે બનાસકાંઠા, અંબાજી, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં સૌથી વધુ આદિવાસીઓ વસે છે. ગુજરાતમાં કુલ વસ્તીના ૧૫ ટકા આદિવાસીઓ છે. અહીંની ૧૮૨ વિધાનસભા બેઠકોમાંથી ૨૭ પર આદિવાસી વસ્તી નિર્ણાયક સ્થિતિમાં છે. તેમાં પણ ભીલ સમાજની વસ્તી વિપુલ પ્રમાણમાં છે.
રાજસ્થાન-ગુજરાત બોર્ડર પાસેના આ આદિવાસી બહુલ વિસ્તારમાં કોંગ્રેસની મજબૂત પકડ છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં આ વિસ્તારની ૨૭ બેઠકોમાંથી ભાજપને માત્ર ૯ બેઠકો મળી હતી.
જ્યારે કોંગ્રેસને ૧૪ બેઠકો મળી હતી. તો ૨ બેઠકો BTPના ખાતામાં ગઈ. ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૨૭ આદિવાસી બેઠકોમાંથી ૧૪ બેઠકો જીતી હતી. ૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસે ૧૬ બેઠકો જીતી હતી.
આ વિસ્તારમાં ૨૦૧૭ની ચૂંટણી પહેલા આદિવાસી નેતા છોટુ બસાવાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ની રચના કરી હતી. આ પાર્ટીને બે બેઠકો મળી હતી. હવે આ પાર્ટીની વધતી વિશ્વસનીયતાને જાેતા આમ આદમી પાર્ટીએ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી માટે મ્ઁ સાથે ગઠબંધન કર્યું હતું. આવી સ્થિતિમાં ભાજપ પણ આદિવાસી મતદારો પ્રભાવિત વિસ્તારની આ તમામ ૨૭ વિધાનસભા બેઠકો પર જીત મેળવવામાં કોઈ કસર છોડવા માગતી નથી.
૧૯૧૩માં બ્રિટિશ સરકારે માનગઢમાં જ ભીલ સમુદાયના નેતા ગોવિંદ ગુરુના લાખો સમર્થકોને ઘેરી લીધા અને ગોળીબાર કર્યો હતો. આમાં લગભગ ૧૫૦૦ ભીલોએ જીવ ગુમાવ્યો હતો. ગોળીઓના કારણે ૭૦૦ આદિવાસીઓના જીવ ગયા અને ૮૦૦ ભીલો પર્વત પરથી પડી ગયા. આદિવાસી સમાજના લોકો ખાસ કરીને ભીલ સમાજના લોકો આ ટેકરીને પોતાનું તીર્થસ્થાન માને છે.
સ્થાનિક લોકો માનગઢ હત્યાકાંડને જલિયાવાલા હત્યાકાંડ કરતા પણ મોટો માને છે. પરંતુ આ જગ્યા હંમેશા સરકારની ઉપેક્ષાનો ભોગ બની છે. એવું માનવામાં આવે છે કે આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરનાર ગોવિંદ ગુરુએ માત્ર ડ્રગ્સનો વિરોધ જ નહીં, સમાજમાં શિક્ષણનો ફેલાવો કર્યો અને અંગ્રેજ શાસનના શોષણ અને અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો. આથી ભીલ સમાજના લોકો સમાજ સુધારક ગોવિંદ ગુરુની પૂજા કરે છે.