Western Times News

Gujarati News

ભરૂચ જીલ્લા ભાજપે શોકસભા યોજી મોરબીના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી

(પ્રતિનિધિ) ભરૂચ, મોરબીની હતભાગી હોનારતના મૃતાત્માઓના માનમાં બુધવારે રાજ્ય વ્યાપી શોક વચ્ચે ભરૂચ જીલ્લા ભાજપે પણ ભોલાવ ખાતે શોકસભા યોજી હતી. વડાપ્રધાને મોરબીના મૃતકો પ્રત્યે સંવેદના સાથે શ્રદ્ધાંજલી અર્પવા ૨ જી નવેમ્બર ના રોજ રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો હતો.

ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પાલિકાના દરેક વોર્ડ અને ગામે ગામ શોક સભા મૃતકોને અંજલી આપવા યોજાઈ હતી. ભોલાવ ગ્રામ પંચાયત ખાતે જીલ્લા ભાજપની શોકસભામાં સાંસદ મનસુખ વસાવા, વિધાનસભાના નાયબ દંડક ધારાસભ્ય દુષ્યંત પટેલ, જીલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, દિનેશભાઈ આહીર સહિત આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જાેડાયા હતા.

અત્યંત દુઃખદ અને ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે અને ઈશ્વર આ મૃતાત્માઓને તેમના ચરણમાં સ્થાન આપે તે માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.ઘેરા શોકની લાગણી વચ્ચે આ પરિવારો ને કુદરત આઘાતમાંથી બહાર નીકળવા શક્તિ અર્પે તે માટે પણ પ્રાર્થના કરાઈ હતી અને આ દુઃખની ઘડીમાં જે લોકો હજી સારવારગ્રસ્ત છે તેઓ જલ્દી સાજા થાય તે માટે પણ પ્રાર્થના કરી શોકસભાનું સમાપન કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.