Western Times News

Gujarati News

લાશના ટૂકડા કરવા માટે આફતાબને ૧૦ કલાક જેટલો સમય લાગ્યો હતો

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીમાં પોતાની લિવ ઈન પાર્ટરન શ્રદ્ધા વૉકરની હત્યા કરનારા આફતાબ પૂનાવાલાને લઈને નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. દિલ્હી પોલીસ સતત આફતાબની પૂછપરછ કરી રહી છે. જાે કે, આફતાબ અમીન પૂનાવાલા તપાસકર્તા અધિકારીઓ સામે કબૂલી ચૂક્યો છે કે તેણે પોતાની લિવ ઈન પાર્ટનરના શરીરના ૩૫ ટૂકડા કર્યા હતા.

૩૫ ટૂકડા કરવામાં તેને દસ કલાકનો સમય લાગ્યો હતો. બીજી તરફ, દિલ્હીની એક કોર્ટે ગુરુવારે આફતાબના રિમાન્ડ વધુ પાંચ દિવસ માટે વધારી દીધા છે. આફતાફને સાકેત જિલ્લા કોર્ટ સમક્ષ વર્ચ્યુઅલી રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન આરોપીને મોતની સજા થાય એવી માગ સાથે વકીલોના મોટા સમૂહે કોર્ટ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

આફતાબે ઝઘડા બાદ શ્રદ્ધાનું ગળુ દબાવીને તેની હત્યા કરી હતી. એ પછી લાશને ઠેકાણે પાડવા માટે તેણે ૩૫ ટૂકડા કર્યા હતા. એવું પણ સામે આવ્યું છે કે શ્રદ્ધાની લાશના ટૂકડા કરવા માટે આફતાબને ૧૦ કલાક જેટલો સમય લાગ્યો હતો. આ દરમિયાન થાક લાગતા આફતાબે બીયર પીધી હતી. એ પછી તેણે નેટફ્લિક્સ પર વેબ સિરીઝ પણ જાેઈ. આખરે તે સૂઈ ગયો હતો.

પોલીસને આફતાબના ઘરમાંથી લોહીના ડાઘા પણ મળ્યા છે. આ પહેલા મહરોલી વિસ્તારમાંથી એક સેમ્પલને ડીએનએ તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. પોલીસ બંને ડીએનએ રિપોર્ટને તપાસશે. પુરાવાના અભાવે પોલીસ ટીમોએ બુધવારે છતરપુરમાં ભાડાના ઘરની મુલાકાત પણ કરી હતી. જ્યાં આફતાબ અને શ્રદ્ધા રહેતા હતા.

પોલીસ જ્યારે આફતાબના ઘરે પહોંચી તો બાથરુમમાંથી લાશના ટૂકડા મળ્યા હતા. આ પહેલા પોલીસની ટીમ આરોપી આફતાબને લઈને જંગલમાં પહોંચી હતી. પોલીસ અહીં શ્રદ્ધાની લાશના અવશેષો કબજે કરવામાં વ્યસ્ત છે. જાે કે, પોલીસને હજુ સુધી શ્રદ્ધાનું માથુ મળ્યું નથી.

આરોપી આફતાબે શ્રદ્ધાની લાશ ઠેકાણે પાડતા પહેલાં તેના માથાને સળગાવ્યું હતું. મીડિયા રિપોર્ટનું માનીએ તો, આરોપીએ શ્રદ્ધાના ચહેરાને ત્યાં સુધી સળગાવ્યો કે જ્યાં સુધી તેની ઓળખ થઈ શકે નહીં.

આ પહેલાં આરોપીએ સ્વીકાર્યું હતું કે શ્રદ્ધાની બોડીના પાર્ટ્‌સ કે જે વહેલા ખરાબ થાય એવા હતા એને પહેલાં ઠેકાણે પાડ્યા હતા. જેમાં શ્રદ્ધાનું લિવર અને કિડની સામેલ હતા.

શ્રદ્ધાની હત્યા અને તેની લાશના ૩૫ ટૂકડા કર્યા બાદ તેના કપડાં અને સામાનને પણ આરોપીએ ઠેકાણે પાડ્યા હતા. આરોપીએ જે કચરાની ગાડીમાં શ્રદ્ધાના કપડાં અને સામાન ફેંક્યા હતા એની પણ ઓળખ થઈ ગઈ છે.

આફતાબે શ્રદ્ધાની લાશના તમામ પાર્ટ્‌સ જંગલમાં ફેંક્યા હોવાની કબૂલાત કરી હતી. આ પહેલાં તે સતત પોતાનું નિવેદન બદલી રહ્યો હતો. પોલીસે આ કારણે આફતાબના નાર્કો ટેસ્ટની મંજૂરી હતી. જેને કોર્ટે મંજૂરી આપી દીધી છે. આરોપી વારંવાર પોતાનું નિવેદન બદલતો હોવાથી મનોવૈજ્ઞાનિક દીપક રાહેજાનું કહેવું છે કે, મને એવું લાગે છે કે આફતાબ પોતાને બચાવવા માટે પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે.

આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે વેક્યૂમ ક્લિનર પણ ખરીદ્યું હતું. આ પહેલાં શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેની લાશને કાપવા માટે એક દુકાનમાંથી ધારદાર હથિયાર પણ ખરીદ્યું હતું. આ સિવાય લાશને ઘરમાં રાખવા માટે નવું ફ્રિજ પણ ખરીદ્યું હતું.

પોલીસને આફતાબ અને શ્રદ્ધાના ભાડાના મકાનમાંથી લોહીના નિશાન પણ મળ્યા છે. પોલીસે આના માટે બેંજીન ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટમાં લોહીના પુરવા મળ્યા છે. આરોપી આફતાબે ૧૮ પોલિથીન બેગમાં લાશના ટૂકડા રાખ્યા હતા. એ પછી એક એક કરીને લાશના ટૂકડાઓને ઠેકાણે પાડ્યા હતા. જાે કે, સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પોલીસને હજુ સુધી શ્રદ્ધાનું માથુ અને અન્ય અંગોના અવશેષો મળ્યા નથી. આ સિવાય હજુ સુધી હત્યા બાદ લાશના ટૂકડા કર્યા એ હથિયાર પણ મળ્યું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.