Western Times News

Gujarati News

વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા દ્વારા મંદિરોમાં મોહનથાળનો પ્રસાદ ધરાવ્યો

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લાના બધા જ પ્રખંડોમા મંદિરોની અંદર મહાઆરતી થાય અને આરતી પછી પ્રસાદ વહેંચાય અને પ્રસાદ મોહનથાળનો જ વહેંચાય એવું વિશ્વ હિન્દુ પરિષદનું આવન હતું એ આહવાનને સમર્થન આપવા માટે તારીખ ૧૨- ૩ -૨૦૨૩ ના રોજ સાંજે ખેડબ્રહ્મા જિલ્લાના બધા જ પ્રખંડોની અંદર બધા જ મંદિરો ની અંદર અને ગ્રામ્યના અને નગરના બધા જ મંદિરો ની અંદર મોહનથાળનો પ્રસાદ વહેચવાની યોજના બનાવેલ જે અન્વયે નવા માણેકનાથ મંદિર શ્યામનગર ખાતે મહંત શ્રી પૂ. મનહરદાસ મહારાજની ઉપસ્થિતિમાં સાંજે આરતીમાં મોહનથાળનો પ્રસાદ વહેંચાયો હતો.

ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરી તેના સ્થાને ચીકીનો પ્રસાદ આપવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.