Western Times News

Gujarati News

ગુજરાત વિદ્યાપીઠમાં અનેક જગ્યાએ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય

કેન્ટીન બંધ ગાંધીજીએ જે આદર્શ વિચારધારા સાથે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી છે તે આદર્શો અત્યારે ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ક્યાંય દેખાતા નથી

અમદાવાદ,  સ્વચ્છતા મામલે ફરી એકવાર ગુજરાત વિદ્યાપીઠ સામે અનેક સવાલો ઉઠ્‌યા છે. ગુજરાત વિદ્યાપીઠની કેન્ટીન અને તેની આસપાસમાં કચરાના ઢગલા જાેવા મળી રહ્યા છે. ઉનાળાની સીઝનમાં અનેક જિલ્લાઓમાં પાણીની સમસ્યાઓ છે એવામાં નળમાંથી પાણી વહી રહ્યું છે. પાણીની પાઈપમાં ચકલી ના હોવાને કારણે વહેતુ પાણી અટકાવવું પણ મુશ્કેલ બન્યું છે.
વિદ્યાર્થીઓ માટે મુકેલા પાણીના કુલરમાંથી પાણી આવતું નથી અને પાણીને બદલે કુલરમાં માત્ર કચરો દેખાઈ રહ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલી કેન્ટીનનો કોન્ટ્રાકટ પૂરો થતાં કેન્ટીન બંધ થઈ છે અને સમગ્ર ૧૦૦ મીટરના વિસ્તારમાં કચરાનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. ઠેર ઠેર જાળા અને કચરાથી વિદ્યાર્થીઓ પણ પરેશાન છે. કેન્ટીનની આસપાસ જાળા અને કચરાના ઢગલા વચ્ચે કેટલાક વિદ્યાર્થીઓ વાંચન કરતા પણ નજરે પડે છે. કેન્ટીન બંધ હોવાને કારણે ટેબલ ખુરશી પણ રૂમમાં મૂકી લોક કરી દેવાઈ છે.
અગાઉ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ૨૦ મી ઓક્ટોબરે ગુજરાત વિદ્યાપીઠનું કુલપતિપદ સંભાળ્યું ત્યારથી આજ સુધીમાં તેમણે આઠથી નવ વખત ગુજરાત વિદ્યાપીઠની રૂબરૂ મુલાકાત લીધી હતી.
વર્ષ-૧૯૨૦માં પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે આદર્શ વિચારધારા સાથે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી છે તે આદર્શો અત્યારે ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ક્યાંય દેખાતા નથી. પોતાની જાતને ‘ગાંધીયન’ ગણાવતા લોકોના વ્યવહારિક જીવન જાેઈએ તો અત્યંત દુઃખ અને વ્યથા થાય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.