Western Times News

Gujarati News

સસરા મિથુન ચક્રવર્તીની વાત માની મદાલસાએ “અનુપમા” માટે હા પાડી હતી

દર્શકો તરફથી પ્રતિક્રિયા મળે તો જ કામ કરવાની મજા આવે છે ઃ મદાલસા -અનુપમા સીરિયલમાં છેલ્લા ઘણા સમયથી કાવ્યાના પાત્રને પોઝિટિવ દેખાડવામાં આવ્યું છે

મુંબઈ,  રાજન શાહી દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહેલો શો ‘અનુપમા’ દર્શકોના દિલ અને ટીઆરપી ચાર્ટમાં સ્થાન ટકાવી રાખવામાં સફળ રહ્યો છે. આ શોમાં લીડ રોલમાં જાેવા મળી રહેલી રૂપાલી ગાંગુલીની સાથે-સાથે અન્ય કલાકારોને પણ ખૂબ પ્રેમ મળી રહ્યો છે.

જાે કે, કેટલાક એક્ટર્સ એવા પણ છે જેઓ પોતાના પાત્રના કારણે દર્શકોની નફરતનો ભોગ બની ચૂક્યા છે. તેમાંથી એક કાવ્યાના પાત્રમાં જાેવા મળી રહેલી મદાલસા શર્મા છે, જેના કારણે જ અનુપમા અને વનરાજ શાહના લગ્નજીવનમાં તિરાડ પડી હતી. મદાલસાને શરૂઆતમાં નેગેટિવ રોલમાં દેખાડવામાં આવી હતી પરંતુ સમય જતાં તે પોઝિટિવ થઈ છે.

પરંતુ એકસમસ સોશિયલ મીડિયા પર થતા ટ્રોલિંગ સામે તે કેવી રીતે ડીલ કરતી હતી તે હાલમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. ઈન્ટરવ્યૂમાં મદાલસા શર્માએ કહ્યું હતું કે, નેગેટિવ કોમેન્ટ એ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. હંમેશા પીઠ પાછળ વાતો કરવાની લોકોને ટેવ હોય છે. શરૂઆતમાં લોકો તેના ભૂતકાળની સ્ટોરી નહોતા જાણતા અને તેથી તેને નફરત કરતાં હતા.

જાે કે, જ્યારે ફેન્સને હકીકત જાણવા મળી તો તેઓ તેને પ્રેમ કરવા લાગ્યા. આ સાથે તેણે ઉમેર્યું હતું કે, તે બધી કોમેન્ટને પોઝિટિવ રીતે લે છે. જ્યારે લોકો નફરત વરસાવે ત્યારે તે સમજે છે કે તે પોતાનું કામ સારી રીતે કરી રહી છે. ‘લોકો પોતાની પ્રતિક્રિયા આપતા રહે તો જ કામ કરવાની મજા આવે છે. કોઈ પોઝિટિવ રીતે રિસ્પોન્સ આપે છે તો કોઈ નફરતથી.

દરેક પાસે પોતાનો મંતવ્ય રજૂ કરવાનો હત છે. પરંતુ નેગેટિવ કોમેન્ટ એક્ટર તરીકેનો મારો હેતુ નહીં બદલી નાખે. પરંતુ જાે તેઓ પહેલા જે રીતે પ્રતિક્રિયા આપતા હતા તે રીતે ન આપતા હોત તો મને વધારે ઉત્સુકતા રહેત. કારણ કે તેનાથી સીધો મારી સ્કિલ પર સવાલ ઉઠતો હતો. તેઓ ક્યાંકને ક્યાંક જાણે છે કે, પાત્રનો અંત ક્યાં થાય છે અને મદાલસા કોણ છે.

તેથી આ વાત મને સહેજ પરેશાન કરે છે. મદાલસા શર્મા માટે ‘અનુપમા’ એ તેની ડેબ્યૂ ટીવી સીરિયલ છે. આ પહેલા તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી પરંતુ તેને જાેઈએ તેવી સફળતા ક્યારેય મળી નહોતી. તે જ સમયે તેને આ શોની ઓફર મળી હતી. શરૂઆતમાં તે ખચકાટ અનુભવી રહી હતી

પરંતુ સસરા મિથુન ચક્રવર્તીએ તેને આ તક હાથમાંથી ન જવા દેવાની સલાહ આપી હતી. જે તેણે માની હતી અને આજે તે ઘર-ઘરમાં જાણીતો ચહેરો બની ગઈ છે. અનુપમા સીરિયલની વાત કરીએ તો, અનુપમા અને કાવ્યાને પહેલા એકબીજાની ટક્કર દેખાડવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની વચ્ચેના સમીકરણો બદલાયા છે.

શોમાં હાલ કાવ્યા પ્રેગ્નેન્ટ છે અને વનરાજના બાળકની મા બનવાની છે ત્યારે અનુપમા તેને દરેક પ્રકારનો સપોર્ટ આપી રહી છે. બીજી તરફ વનરાજે પહેલા કાવ્યાથી અલગ થવાનો ર્નિણય લીધો હતો પરંતુ આ ખુશખબરી મળ્યા બાદ તેણે મન પરત વાળી લીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.