Western Times News

Gujarati News

શાલિની મહલ કુંડલી ભાગ્યના આકર્ષક કાસ્ટમાં જોડાઈ

ઝી ટીવીના પ્રસિદ્ધ પ્રાઇમ ટાઈમ શો, કુંડલી ભાગ્યએ તેની શરૂઆતથી જ તેના દર્શકોને ટેલિવિઝન સ્ક્રીન પર જકડી રાખ્યા છે. બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ આ શોમાં પ્રસિદ્ધ અભિનેત્રી જેવી કે, શ્રદ્ધા આર્યા (પ્રીતા તરીકે), શક્તિ આનંદ (કરણ તરીકે), માનિત જૌરા (રિષભ તરીકે), પારસ કાલ્નાવત (રાજવીર તરીકે), સના સૈય્યદ (પાલકી તરીકે) અને બસીર અલી (શૌર્ય તરીકે) જોવા મળશે.

આ પારિવારિક નાટકએ લાગણીઓની ભરમાર લઇને આવે છે, સાથોસાથ માનવીય સંબંધોની આંતરિક્તા પણ રજૂ કરે છે. તાજેતરના એપિસોડમાં દર્શકોએ જોયું કે, કરણએ રાજવીર અને સૃષ્ટિ વચ્ચે કંઈક સંબંધ હોવાની શંકા લાગી હતી, કેમકે તે રાજવીરની સાથે ફોનમાં વાત કરી રહી હતી. આ દરમિયાન જ નીધીએ પ્રીતાને મારવા માટે આયોજન કરી રહી છે, જેથી પ્રીતા ફરીથી કરણના જીવનમાં પાછી ન આવે.

શોની આસપાસની અપેક્ષા વધારતા, દર્શકો હવે બહુર્વિધ પ્રતિભા ધરાવતી શાલિની મહલને પાલકીની બહેન શનાયા તરીકે શોમાં પ્રવેશતી જોશે. શાલિનીએ છેલ્લે 2021માં ઝી ટીવી પર જોવા મળી હતી, ત્યારે તે પ્રસિદ્ધ શો ગુડ્ડન તુમસે ના હો પાયેંગા અને મીત: બદલેંગી દુનિયા કી રીતમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. કુંડલી ભાગ્યમાં શનાયાનું તેનું પાત્ર એક અનુભવી ફેશન ડિઝાઈનરનું છે, જે જીવન પ્રત્યે અત્યંત ખુશાલ તથા વ્યવહારિક અભિગમ ધરાવે છે.

શાલિની મહલ કહે છે, “કુંડલી ભાગ્યએ ભારતીય ટેલિવિઝનના સૌથી પ્રસિદ્ધ શોમાંનો એક છે અને તેનો હિસ્સો બનવુંએ મારા માટે ગર્વની વાત છે. શોની અદ્દભુત કાસ્ટ અને ક્રુની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ અદ્દભુત રહ્યો છે. શોના અદ્દભુત કાસ્ટ અને ક્રુના સભ્યોની સાથેનો અનુભવ ખૂબ જ સારો રહ્યો.

અમે જે ઓફ-સ્ક્રીન સંબંધ ધરાવીએ છીએ તે જ ઓન-સ્ક્રીન પણ દેખાય છે, જે અમારા પફોર્મન્સમાં ઊંડાણ ઉમેરે છે. એક્તામેમનો હું ખૂબ જ આભાર માનું છું કે, તેમને મને આ પાત્રથી પ્રવેશ આપ્યો. વ્યક્તિગત રીતે કહું તો એક ચાલતા શોમાં પ્રવેશીને તમારી પોતાનું સ્થાન બનાવવું અને ખાસ તો દર્શકોના દિલમાં સ્થાન બનાવવું, એ એક મોટો પડકાર છે. પણ હું મારું 100 ટકા આપીશ અને આશા રાખું છઉં કે, દર્શકો પણ મને આ નવા અને તાજગીસભર અવતારમાં જોઈને મને માણશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.