Western Times News

Gujarati News

ગોધરા શહેરના બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત પરિવર્તિતનો કાર્યક્રમ યોજાયો

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) રક્ષાબંધન અને બળેવના પવિત્ર તહેવાર ને લઇને ગોધરા શહેરના બ્રહ્મ સમાજ એકમ દ્વારા સમૂહ યજ્ઞોપવિત પરિવર્તિતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉમટ્યા હતા અને પવિત્ર યજ્ઞોપવિત બદલી હતી.

શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષબંધન અને બળેવનો પવિત્ર તહેવાર . આ દિવસે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે. તો બ્રાહ્મણ બંધુઓ પણ આ જ દિવસે પોતાની યજ્ઞોપવિત બદલતા હોય છે. યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ મોટાભાગે સમૂહમાં કરવામાં આવતો હોય છે.

ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પણ યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગોધરા એકમ દ્વારા આજે શહેરના અંકલેશ્વર મહાદેવ મંદિરના હોલમાં યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં ૭૦ ઉપરાંત બ્રહ્મ બંધુઓએ સામુહિક વેદ મંત્રોચ્ચાર કરી, વિશ્વ કલ્યાણની ભાવના સાથે સમગ્ર દેવી દેવતા,ઋષિ મુનિ ઓની પૂજા અર્ચના કરી પવિત્ર યજ્ઞોપવિત ધારણ કરી હતી.આ કાર્યક્રમમાં મોટાથી માંડી બાળકો એ પણ હાજર રહી યજ્ઞોપવિત બદલી હતી. યજ્ઞોપવિત પરિવર્તિતના આ કાર્યક્રમ બાદ એકમ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.