પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનની વધી મુશ્કેલી
ઈસ્લામાબાદ, પાકિસ્તાનની વિશેષ અદાલતે ફરી એકવાર ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીને દેશની ગુપ્ત માહિતી લીક કરવા અને દેશના કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. ન્યાયાધીશ અબુલ હસનત ઝુલકરનૈને રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષાવાળી અદિયાલા જેલમાં આ કાર્યવાહી હાથ ધરી હતી. આ જેલમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના બે ટોચના નેતાઓ કેદ છે.
ન્યાયાધીશે બંને નેતાઓ સામેના આરોપો વાંચી સંભળાવ્યા હતા. તો બંને કોર્ટ રૂમની અંદર હાજર હતા, પરંતુ બંનેએ આરોપને ફગાવી દીધો હતો. જો ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ દોષિત ઠરે તો ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. કોર્ટે ઈમરાન ખાનને બીજી વખત દોષિત જાહેર કર્યા છે. આ પહેલા કોર્ટે ટેકનિકલ આધાર પર આરોપ ફગાવી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી.
કોર્ટરૂમમાંથી બહાર આવતી વિગતો અનુસાર, ન્યાયાધીશ દ્વારા ત્રણ આરોપો સંભળાવવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓએ તેમના કાર્યકાળ દરમિયાન સત્તાવાર રહસ્ય અધિનિયમનું ઉલ્લંઘન કર્યું હતું. આ રીતે દેશની સુરક્ષાને નુકસાન થયું હતું. ઈમરાન ખાને ૨૭ માર્ચ, ૨૦૨૨ના રોજ ઈસ્લામાબાદમાં આયોજિત રેલીમાં ક્લાસિફાઈડ ડોક્યુમેન્ટ જાહેરમાં બતાવ્યા હતા.
સરકારી વકીલ શાહ ખાવરે બુધવારે જણાવ્યું હતું કે, કોર્ટરૂમમાં આરોપો વાંચવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ખાન અને તેના સહ-આરોપી પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી બંનેએ આરોપોને નકારી કાઢ્યા છે. ખાનના વકીલ ગોહર ખાને આરોપનો વિરોધ કરતા કહ્યું હતું કે જો આરોપીની સહી હશે તો જ તે માન્ય ગણાશે. પૂર્વ વડાપ્રધાને અગાઉ કહ્યું હતું કે આ સામગ્રી અન્ય સ્ત્રોતોથી મીડિયામાં આવી છે.
૮ ફેબ્રુઆરીની ચૂંટણીઓ પહેલા તેમના પક્ષ માટે પ્રચાર કરવા માટે જેલમાંથી મુક્ત થવાની તેમની શક્યતાઓને ઓછી દેખાઈ રહી છે. બુધવારે, પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે મે મહિનામાં તેમની ધરપકડ બાદ થયેલા હિંસક વિરોધ અંગે લશ્કરી અદાલતોને તેમની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. લશ્કરી ઠેકાણા પર હુમલો કરવાના આરોપમાં ખાનના ૧૦૦થી વધુ સમર્થકોની ટ્રાયલ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટનો તાજેતરનો આદેશ બે મહિના કરતાં ઓછા સમય પછી આવ્યો છે. જ્યારે એ જ કોર્ટના પાંચ ન્યાયાધીશોએ ખાનની પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પર કાર્યવાહીના ભાગરૂપે ધરપકડ કરાયેલા ૧૦૩ નાગરિકોની સુનાવણી અટકાવી દીધી હતી.SS1MS