Western Times News

Gujarati News

અમદાવાદમાં ડેંગ્યુના સાત દિવસમાં ૯૧ કેસ

અમદાવાદ: ડિસેમ્બરની શરૂઆત થઇ ચુકી છે ત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો હજુ પણ સપાટી ઉપર આવી રહ્યા છે. માત્ર ૧૪ દિવસમાં જ ડેંગ્યુના ૧૮૭ કેસો નોંધાઈ ચુક્યા છે જે ચિંતાની બાબત દેખાઈ રહી છે. અમદાવાદ શહેરમાં ડેંગ્યુના કેસ હજુ પણ નોંધાઈ રહ્યા છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હોવા છતાં ડેંગ્યુના શ્રેણીબદ્ધ કેસો નોંધાઈ રહ્યા છે.


ડિસેમ્બર મહિનામાં જ ડેંગ્યુના ૧૪ દિવસમાં જ ૧૮૭ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે જ્યારે ચિકનગુનિયાના પણ ૧૫ કેસ સપાટી ઉપર આવ્યા છે. આવી જ રીતે ૧૪ દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૨૨૪ કેસ નોંધાઈ ચુક્યા છે. ટાઇફોઇડના ૧૪૮ કેસો સપાટી ઉપર આવ્યા છે. આંકડા પર નજર કરવામાં આવે તો માત્ર નવેમ્બર મહિનામાં ૭૯૩ કેસો નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. પહેલીથી ૩૦મી નવેમ્બર વચ્ચેના ગાળામાં ડેંગ્યુના ૭૯૩ કેસો નોંધાયા હતા.

૨૦૧૮માં ડેંગ્યુના ૩૩૨ કેસ નોંધાયા હતા જેની સામે આંકડો ૨૦૧૯માં પહેલાથી જ બે ગણો થઇ ચુક્યો છે અને આંકડો ૭૯૩ ઉપર તો નવેમ્બરના અંત સુધી જ પહોંચી ગયો હતો. ઝાડા ઉલ્ટીના નવેમ્બર સુધી ૪૬૮ કેસો નોંધાયા હતા આવી જ રીતે ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૧૨૪૧૯૮ લોહીના નમૂનાની સામે ૧૪મી ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ૪૩૦૧૨ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૨૧૦૪ સિરમ સેમ્પલની સામે ૧૪મી ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ૧૧૨૧ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. કમળાના ૧૪ દિવસના ગાળામાં ૮૩, ટાઇફોઇડના ૧૪૮ કેસો સપાટી ઉપર આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.