Western Times News

Gujarati News

1870માં 5.50 લાખના ખર્ચે બનેલા એલિસબ્રીજના પુનઃ નિર્માણ માટે 32.40 કરોડ ખર્ચાશે

ઐતિહાસિક એલિસબ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂ.૩૨.૪૦ કરોડની ફાળવણી 

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના ઐતિહાસિક એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૩૨ કરોડ ૪૦ લાખ ૫૦ હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્‌લાયઓવર બ્રિજ ઘટકમાંથી આ રકમ ફાળવીને અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ આપી છે.

અમદાવાદની ધરોહર સમાન સાબરમતી નદી ઉપર અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ૧૮૯૨માં એલિસબ્રિજ બ્રીજ બનાવવામાં આવેલો છે. ૪૩૩.૪૧ મીટર લંબાઇ અને ૬.૨૫ મીટરની પહોળાઈનો આ બ્રિજ ૩૦.૯૬ મીટરના ૧૪ સ્પાન બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં નિર્માણ થયેલો છે.

આ ઐતિહાસિક બ્રિજનું સ્ટીલ સ્ટ્રક્ચર વેધરિંગ ઇફેક્ટના કારણે જર્જરીત અને ભયજનક થઈ જવાને કારણે આ બ્રિજ છેલ્લાં દસ વર્ષથી વપરાશ માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જળવાઈ રહે અને તેનું સમય અનુરૂપ રીપેરીંગ કામ અદ્યતન ટેકનોલોજીથી થાય તેવા હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કરીને આ માટે માતબર રકમ ફાળવી છે. એટલું જ નહીં, પુનઃસ્થાપન બાદ આ બ્રિજનો ઉપયોગ રાહદારીઓ માટે પણ થઈ શકે

તેમજ લોકો આ હેરિટેજ બ્રિજની મુલાકાત લઈ ઐતિહાસિક સંભારણાની સ્મૃતિ સાચવી શકે તે પ્રકારની બ્રિજ રીપેરીંગ મેથડોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર ડિઝાઇન વગેરે કરવામાં આવશે.એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન થવાથી સાબરમતી નદી પટમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે યોજાતી પરંપરાગત રવિવારી બજારમાં આવવા-જવા આ બ્રિજનો પુનઃઉપયોગ રાહદારીઓ કરી શકશે.

અમદાવાદ મહાનગર પાલિકાએ આ સમગ્ર બાબતોને આવરી લઈને એલિસ બ્રિજ મજબૂતીકરણ તેમજ પુનઃસ્થાપન માટે શહેરી વિકાસ વિભાગને કરેલી દરખાસ્ત મુખ્યમંત્રી સમક્ષ રજૂ થતાં તેમણે આ માટે ૩૨ કરોડ ૪૦ લાખ ૫૦ હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. ઐતિહાસિક એલિસ બ્રિજની જે સ્ટ્રેન્?ધનિંગ અને રિસ્ટોરેશન કામગીરી હાથ ધરાવાની છે,

તેમાં મુખ્ય ટ્રસના જોઇન્ટ્‌સ રીપેરીંગ, બોટમ ગર્ડર, બોટમ સ્ટ્રીન્?જર્સ તેમજ બોટમ જોઈન્ટ્‌સ બદલવામાં આવશે. નવી બેરિંગ્સ ઇન્સ્ટોલેશન, કોમ્પોઝિટ પિયર સ્ટ્રક્ચર વચ્ચેના લેસિંગ તથા બ્રેસિંગ જરૂરિયાત મુજબ બદલવાનો સમાવેશ કરાશે. આ ઉપરાંત હયાત પિયરને કોરોઝનથી બચાવવા એન્ટી કોરોઝન ટ્રીટમેન્ટ, જર્જરીત થઈ ગયેલા બોટમ ડેક સ્લેબને દૂર કરી નવો કરવાની કામગીરી પણ હાથ ધરાશે.

સાબરમતીમાં પુલની જરૂરિયાત 1870-71માં થઈ હતી. જોકે, બ્રિટિશ એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવેલો પહેલો પુલ પૂરને કારણે નાશ પામ્યો હતો. લાકડાના પુલને 1892માં એન્જિનિયર હિંમતલાલ ધીરજરામ ભચેચ દ્વારા બાંધવામાં આવેલા સ્ટીલના પુલ દ્વારા બદલવામાં આવ્યો હતો. બર્મિંગહામથી સ્ટીલની આયાત કરવામાં આવી હતી. બ્રિટિશ સરકાર, સ્થાનિક સંસ્થાઓ અને ખાનગી સબ્સ્ક્રાઇબર્સ દ્વારા INR 4,07,000 ના ખર્ચે આ પુલ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

નવા પુલનો પ્રથમ શિલાન્યાસ મહામહિમ ડોનાલ્ડ જેમ્સ અગિયારમા લોર્ડ રે C.C.I.E.LL.D દ્વારા કરવામાં આવ્યો હતો. 19 ડિસેમ્બર 1889 ના રોજ બોમ્બેના ગવર્નર. આ પુલનું નામ સર બેરો હેલ્બર્ટ એલિસ માટે રાખવામાં આવ્યું હતું જેઓ ઉત્તર ઝોનના કમિશનર તરીકે સેવા આપતા સિવિલ સર્વિસીસમાં અગ્રણી એંગ્લો-ઈન્ડિયન હતા. હિમ્મતલાલને બ્રિટિશ સરકાર દ્વારા નાણાં બચાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા કારણ કે તેમણે INR 5,00,000 ના બજેટ કરતાં ઘણા ઓછા ખર્ચે પુલ પૂર્ણ કર્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.