Western Times News

Gujarati News

અમદાવાદ-વડોદરાના રેલ્વે રૂટ પર કવચનું ટ્રાયલ સફળ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદથી વડોદરા સુધીના ૯૬ કિમીના પટમાં ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (એટીપી) સિસ્ટમ કવચનું લોકો ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. પશ્ચિમ રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે વિરાર-સુરત-વડોદરા સેક્શન પર કામ સારી રીતે ચાલી રહ્યું છે, જેમાં ૩૩૬-કિમીના સ્ટ્રેચમાંથી ૨૦૧ કિ.મી.નું કામ પૂર્ણ થઈ ગયું છે.

અમદાવાદથી વડોદરા સુધીના ૯૬ કિમીના પટમાં ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (એટીપી) સિસ્ટમ કવચનું લોકો ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. પશ્ચિમ રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે વિરાર-સુરત-વડોદરા સેક્શન પર કામ સારી રીતે ચાલી રહ્યું છે, જેમાં ૩૩૬-કિમીના સ્ટ્રેચમાંથી ૨૦૧ાદ્બનું કામ પૂર્ણ થઈ ગયું છે. વડોદરા-રતલામ-નાગદા સેક્શન પર, ૩૦૩ કિમીમાંથી ૧૦૮ કિમી પૂર્ણ થઈ ગઈ છે.

પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ અને વિરાર વચ્ચેના ફાસ્ટ કોરિડોર પર કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ સ્થાપિત કરવા માટે સર્વેક્ષણ શરૂ કર્યું છે, જે વિરાર અને સુરત વચ્ચેના તેના હાલના અમલીકરણને પૂરક બનાવે છે. રૂ. ૧૦ લાખ પ્રતિ કિ.મી.ના પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સહાયક ચેતવણી પ્રણાલીથી આગળ સલામતી વધારવાનો છે, જેમાં હાલમાં લાંબા અંતરની ટ્રેન સપોર્ટનો અભાવ છે અને તે માર્ચ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાનો છે.

આગામી સમયમાં ટ્રેન અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવાના હેતુથી આ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. તેના પગલે આગામી દાયકામાં રેલ્વે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમ રેલ્વે અકસ્માતોમાં ઘટાડો કરવામાં નોંધપાત્ર રીતે સફળ નીવડી છે. તેથી સૌથી પહેલા લાંબા અંતરની ટ્રેનોમાં તેને લગાવવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.