Western Times News

Gujarati News

સી.શંકરનની બાયાપિકમાં અક્ષય કુમાર અને અનન્યા પાંડે

મુંબઈ, હાલ બોલિવૂડ એવા સમયમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યારે બાયાપિક બહુ ખાસ ચાલતી નથી. સારી સ્ટોરીલાઇન હોય તેમજ છતાં ‘મૈદાન’ જેવી મોટા બેનરની ફિલ્મો ચાલતી નથી.

સામે ‘ચંદુ ચેમ્પિયન’ને સારો પ્રતિસાદ પણ મળ્યો. ત્યારે હવે કેટલાંક એવા અહેવાલો આવી રહ્યા છે કે ધર્મા પ્રોડક્શન ‘ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સી.સંકરન નાયર’ બાયાપિક સાથે આવી રહ્યું છે, જે કરણસિંઘ ત્યાગી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

તેમજ આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. સી શંકરન, એ વ્યક્તિ હતા જેમણે જલિયાંવાલા બાગના નરસંહારની ઘટના બાબતે બ્રિટિશ સરકાર વિરુદ્ધ કેસ કર્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અનન્યા પાંડે બંને વકીલની ભૂમિકા નિભાવતા જોવા મળશે. અક્ષય એક સીનિયર અને ખૂબ સન્માનનીય વકીલના રોલમાં છે,જ્યારે અનન્યા હજુ કૅરિઅરની શરૂઆતના તબક્કામાં છે અને અક્ષયનું માર્ગદર્શન લેવા ઇચ્છે છે.

તેમની વચ્ચે કોઈ રોમાન્સનો એંગલ જોવા મળશે નહીં. આ ફિલ્મ મોટા ભાગે આવતા વર્ષે રિલીઝ થશે. કરણ જોહર અને ધર્મા પ્રોડક્શન હાલ ‘જિગરા’ની રિલીઝમાં વ્યસ્ત છે. જેમાં આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના મુખ્ય ભુમિકામાં જોવા મળશે. ગયા વર્ષે એવા અહેવાલો આવેલાં કે કરણ જોહર કોઈ બાયાપિક પર કામ કરી રહ્યો છે.

આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે, જેના માટે અક્ષય દિલ્હીના જામા મસ્જિદમાં શૂટ કરી ચૂક્યો છે અને મુંબઈના ગોરેગાંવમાં પણ તેનું શૂટ થયું હતું જ્યાં જલિયાંવાલા બાગનો એક મોટો સેટ તૈયાર કરવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.