Western Times News

Gujarati News

નૈનીતાલમાં ક્લોરિન ગેસ લીક થવાથી ભયનો માહોલ

૧૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

(એજન્સી)નૈનીતાલ, અધિકારીઓના જણાવ્યા અનુસાર, ક્લોરિન એક ઝેરી ગેસ છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, ઉલ્ટી અને ઉબકા આવે છે. નૈનીતાલ જિલ્લા મેજિસ્ટ્રેટ વંદના સિંહે જણાવ્યું હતું કે ૫૦ કિલોના ક્લોરિન ગેસ સિલિન્ડરમાંથી લીકેજને કારણે નજીકના ૨૫-૩૦ ઘરોમાં રહેતા ૧૦૦ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

ઉત્તરાખંડના નૈનીતાલમાં ગુરુવારે સુખતાલ પંપ હાઉસ પાસે સિલિન્ડરમાંથી ક્લોરિન ગેસ લીક થતાં ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ આ માહિતી આપી છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ , પોલીસ, વહીવટીતંત્ર અને ડૉક્ટરોની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું.

અધિકારીઓએ જણાવ્યું કે વોટર ઈન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાંથી ક્લોરિન ગેસ લીક થયો હતો.અધિકારીઓના જણાવ્યા અનુસાર, ક્લોરિન એક ઝેરી ગેસ છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, ઉલ્ટી અને ઉબકા આવે છે.

નૈનીતાલ જિલ્લા મેજિસ્ટ્રેટ વંદના સિંહે જણાવ્યું હતું કે ૫૦ કિલો ક્લોરિન ગેસ સિલિન્ડર લીક થવાને કારણે નજીકના ૨૫-૩૦ ઘરોમાં રહેતા ૧૦૦ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ગેસ લીકેજને કારણે ત્રણ લોકોને ઉલ્ટીની ફરિયાદ સાથે બીડી પાંડે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.