Western Times News

Gujarati News

ગોધરામાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા હઝરત પયગંબર સાહેબ મોહમ્મદ રસુલુલ્લાહ ના મિલાદના અવસર પર એક શાનદાર ઝુલુસ નું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં ગોધરા શહેરના વ્હોરવાડ જમાલી મસ્જિદ પ્રસ્થાન કરી ગોધરા શહેરના વિવિધ માર્ગો ઉપર દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ બેન્ડ સુરાવલી સાથે જોડાયા હતા, અને નગર ભ્રમણ કરીને ગોધરાની બુરહાની મસ્જિદ પાસે પુર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના લોકો જોડાયા હતા.

ગોધરા શહેરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા મહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ) ના જન્મ દિવસ નિમિતે એક ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગોધરાના વ્હોરવાડ જમાલી મસ્જિદથી પ્રસ્થાન કરી અને ગોધરા શહેરના મુખ્ય માર્ગો , ચોકી નંબર ૨, સોનીવાડ, ચોકી નંબર ૧, નવા બજાર થઈ બુરહાની મસ્જિદ પર પરત ફર્યું હતું.

દાઉદી વોરા સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં શિસ્તબધ રીતે જોડાયા હતા. જેમાં દાઉદી વ્હોરા સમાજના લોકો બેન્ડ બાજા દ્વારા સંગીતની સુરાવલીઓએ નગરમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.

ગોધરા ની વિવિધ સેવાભાવી સંસ્થાઓ ગાયત્રી પરિવાર, લાયન્સ ક્લબ, શાંતિ સમિતિ અને પોલીસ મિત્ર, મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ અન્ય લોકો દ્વારા આમિલ સાહેબ તથા દાઉદીવોરા સમાજના અગ્રણી ઇમરાનભાઈ ઇલેક્ટ્રીકવાલા નું અભિવાદન સાથે સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ગોધરા શહેર માં કોમી એકતા બની રહે તે માટે તમારા સમાજ ના લોકોએ ભાઈ ચારાનો લોકોએ સંદેશ આપ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.