Western Times News

Gujarati News

આમિરનો દિકરો ન હોત તો કદાચ ‘મહારાજ’ ન મળતઃ જુનૈદ ખાન

મુંબઈ, એક તરફ સ્ટાર કિડ્‌ઝ, નેપોટીઝમ અને તેમને ફિલ્મની તકો સરળતાથી મળી જતી હોવાની ચર્ચા ચાલે છે. તો તેના જવાબમાં કેટલાંક સ્ટાર કિડ્‌ઝ એવા પણ હોય છે, જેઓ પોતાની અલગ સ્ટ્રગલના દાવા પણ કરતા હોય છે.

ત્યારે આમિરના દિકરા જુનૈદની કબૂલાતથી ઘણાને આશ્ચર્ય થયું છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન જુનૈદ ખાને પોતાની ઓડિશનની સફર વિશે વાત કરી અને એમ પણ કહ્યું હતું કે જો તે આમિર ખાનનો દિકરો ન હોત તો કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેનો પ્રવેશ કરાવનારો ઓટીટી પ્રોજેક્ટ પણ તેના હાથમાંથી ગયો હોત.

જુનૈદે કહ્યું,“હું એ પણ સ્વીકારું છું કે જો હું આમિર ખાનનો દિકરો ન હોત તો મને મહારાજ ન મળી હોત.” જુનૈદે ‘લાલસિંઘ ચડ્ઢા’ માટે પણ ઓડિશન આપ્યું હતું, જેના તેના પિતા આમિરે વખાણ પણ કર્યા હતા. પરંતુ આમિર આટલા મોટા બજેટવાળી ફિલ્મ માટે કોઇ નવા ચહરાનું જોખમ લેવા માગતો નહોતો, તેથી તેણે જુનૈદને પસંદ કર્યાે નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.