Western Times News

Gujarati News

રાજકોટના ફેકટરી માલિક સાથે ફાર્મ હાઉસના નામે 17 લાખની ઠગાઈ

પ્રતિકાત્મક

જામનગર, કાલાવડ તાલુકાના શીશાંગ ગામ પાસે ફાર્મહાઉસ બનાવી આપવાના બહાને રાજકોટના ઉધોગકાર પાસેથી રાજકોટના બિલ્ડરે કટકે કટકે ૧૭ લાખ રૂપિયા મેળવી લીધા પછી ફાર્મહાઉસ બનાવી નહી આપી રકમ પણ પરત નહી કરી છેતરપિડી કર્યાની ફરીયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોધાવવામાં આવી છે.

આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છેકે, રાજકોટમાં ગંગોત્રી મંગલપાર્ક સોસાયટીમાં રહેતા અને અગાઉ રબરની ફેકટરી ધરાવતા હરીશભાઈ સોમનાથભાઈ પંડયા નામના ૬પ વર્ષના બુઝર્ગે પોતાની સાથે રૂપિયા ૧૭ લાખની છેતરપિડી કરવા અંગે રાજકોટમાં જ સોમનાથ સોસાયટીમાં રહેતા બિલ્ડર જીતેન્દ્રભાઈ કુંવરજીભાઈ મારૂ સામે ફરીયાદ નોધાવી છે.

પોલીસ ફરીયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી હરેશભાઈ પંડયાએ પોતાની રબરની ફેકટરી બંધ કરી હતી અને અન્ય પાર્ટીને વહેચી નાખી હતી. જેના વેચાણની રકમ આવવાથી તેઓએ ફાર્મ હાઉસમાં રોકાણ કરવા માટે જીતેન્દ્રભાઈ મારૂ સાથે સંપર્ક કર્યો હતો. ર૦૧૬ની સાલમાં ર૪,પ૦,૦૦૦ માં ફાર્મહાઉસ ઉભું કરવા માટેનો સોદો કરીને તે પેટે કટકે કટકે રોકડ તેમજ ચેક મારફતે ૧૭ લાખ રૂપિયા ચુકવ્યા હતા.

જેને આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં જીતેન્દ્રભાઈ મારૂએ કોઈપણ પ્રકારનું બાંધકામ કે ફાર્મહાઉસ તૈયાર કરીને આપ્યું ન હતું કે, કોઈપણ પ્રકારની રકમ પણ પરત કરી ન હતી.

આખરે હરીશભાઈએ જામનગરના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો.. અને જીતેન્દ્ર મારૂ સામે વિશ્વાસઘાત અને છેતરપિડી અંગેની ફરીયાદ નોધાવી હતી. આરોપી હાલ ફરાર હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.