કુમકુમ મંદિર ખાતે તા. ૧૧ જાન્યુઆરીથી પતંગોત્સવ ઉજવાશે

શ્રી સ્વામિનારાયણ ભગવાન ૮ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ પતંગ ચગાવતા દર્શન તા. ૧૧ થી ૧પ જાન્યુઆરી કુમકુમ મંદિર ખાતે આપશે. વિશાળ પંગતમાં ભારતના નકશાની કૃતિ કંડારવામાં આવી છે.
ચાઈનીઝ અને કાચ મિશ્રિત કલરવાળી દોરીનો ત્યાગ કરીને, ઉત્તરાયણની ઉજવણી કરો, તેવા શુભ મેસેજ સાથેનો મોટો પંતગ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
ર૧ ફૂટ લંબાઈ અને ૯ ફુટ ઉંચાઈ ધરાવતું પ્લેટફોર્મ અનેક પંતગો થી શણગારવામાં આવ્યું છે.
અમદાવાદ:શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર ખાતે તા. ૧૧ થી ૧પ જાન્યુઆરી પતંગોત્સવ મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઉજવવામાં આવશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન ૮ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતો ભારતના નકશાની કૃત્તિવાળો વિશાળ પતંગ ચગાવતા દર્શન પાંચ દિવસ સુધી આપશે.સવારે ૮-૦૦ થી ૧ર-૦૦ અને સાંજે ૪-૦૦ થી ૯-૦૦ ભાવિક ભકતો માટે આ દર્શન ખુલ્લા મૂકવામાં આવશે.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પંતગોત્સવ માટે ર૧ ફૂટ લંબાઈ અને ૯ ફુટ ઉંચાઈ ધરાવતું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અનેક પતંગોની અંદર સારા મેસેજ લખવામાં આવ્યા છે. જેની અંદર વિશાળ ૪ ફૂટ ની લંબાઈ અને ૪ ફૂટની પહોળાઈ ધરાવતા પતંગની અંદર ચાઈનીઝ અને કાચ મિશ્રિત કલરવાળી દોરીનો ત્યાગ કરીને, ઉત્તરાયણની ઉજવણી કરો,તેવા શુભ મેસેજ સાથેનો મોટો પંતગ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
આ ઉત્તરાયણ પર્વ કુમકુમ મંદિરમાં શા માટે ઉજવવામાં આવે છે તે અંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃત ગ્રંથની અધ્યાત્મિક રીતે પતંગ કેવી રીતે ચગાવવા જોઈએ તે અંગો સંદેશો આપતા જણાવ્યું છે કે, આપણે જેમ દોરીથી પતંગને આકાશમાં ઊંચો–નીચો, આસ–પાસ ચગાવીએ છીએ તેમ મનની વૃત્તિરૂપી દોરી વડે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સાધીને મૂર્તિરૂપી પતંગને આકાશમાં ઉડાવતા શીખવું જોઈએ.
ઘણા પતંગ દિશા વગર અહીં તહીં ઊડીને ફાટી જાય છે. તેમ આપણું જીવન દિશા વગરનું ન હોવું જોઈએ પણ ઉત્કૃષ્ટ ધ્યેયવાળું હોવું જોઈએ. જેમ પતંગનો ઢઢ્ઢો અક્કડ હોય તો તે પતંગ સારી રીતે ઊડી શકતો નથી. પરંતુ નમ્ર ઢઢ્ઢાવાળો પતંગ સારી રીતે ઊડી શકે છે. તેમ આપણે જીવનમાં આગળ વધવું હોય તો નમ્ર બનવું જોઈએ. સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ મંદિર