Western Times News

Gujarati News

સલમાન ખાને બિશ્નોઈ સમુદાયની માફી માંગવી જોઈએ: અનુપ જલોટા

મુંબઈ, સલમાન ખાન આ દિવસોમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે. તેમના ઘરની બહાર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં તેમના મિત્ર અને દ્ગઝ્રઁ નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કહેવું છે કે જો સલમાન ખાને કાળા હરણનું મારણ કર્યું હોય તો તેણે બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ. હવે ભજન સમ્રાટ અનુપ જલોટાએ એક ખાનગી ન્યૂઝ ચેનસ સાથે વાત કરતાં કહ્યું કે સલમાન ખાને કાળા હરણનું મારણ કર્યું કે નહીં તે વાત બાજુ પર રાખો.

સલમાન ખાને બિશ્નોઈ સમાજના મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ. આ હવે ઈગોની વાત નથી.અનુપે કહ્યું- ‘હું માત્ર એટલું કહેવા માંગુ છું કે કોણે માર્યું અને કોણે નહીં તે વિચારવાનો આ સમય નથી… …તમને સમજવું જોઈએ કે સલમાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની પણ કથિત રીતે હત્યા કરવામાં આવી હતી.

હવે, આ વિવાદને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હું સલમાનને એક નાનકડી વિનંતી કરવા માંગુ છું કે તેણે મંદિરમાં જઈને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેના પરિવાર અને નજીકના મિત્રોની સુરક્ષા માટે માફી માંગવી જોઈએ. મને ખાતરી છે કે તે તેની માફી સ્વીકારશે.

સલમાને જઈને ફરી સુરક્ષિત જીવન જીવવું જોઈએ. આ મામલાને જટિલ બનાવવાનો સમય નથી. તેણે હત્યા કરી છે કે નહીં, સલમાને માફી માંગવી જોઈએ. લડાઈમાં ફસાઈને કોઈને કંઈ જ મળશે નહીં.’નોંધનીય છે કે, સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ પણ સલમાન ખાન વિશે ઘણા ખુલાસા કર્યા છે.

તેણીએ કહ્યું કે સલમાન ખાને કાળા હરણને મારી નાખ્યું હતું. જ્યારે સલમાન જોધપુરથી પાછો ફર્યાે ત્યારે તેણે સોમી અલીને આ વિશે જણાવ્યું. સોમીએ કહ્યું કે તે સમયે તે અને સલમાન ખાન રિલેશનશિપમાં હતા. પરંતુ સોમીએ એમ પણ કહ્યું કે સલમાન ખાનને ખબર ન હતી કે બિશ્નોઈ સમુદાયમાં કાળા હરણની પૂજા કરવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.