Western Times News

Gujarati News

‘શબાના આઝમી સાથે લગ્ન કર્યા ત્યારે ‘નશામાં’ હતા જાવેદ અખ્તર’

અન્નુ કપૂરનો દાવો

એક્ટર અન્નુ કપૂરે એક ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તર અને શબાના આઝમીના લગ્નને યાદ કર્યા

મુંબઈ,જાવેદ અખ્તરે ઘણી વખત પોતાની દારૂની લત વિશે વાત કરી છે. તેઓ માને છે કે તેમની પ્રથમ પત્ની હની ઈરાની સાથેના લગ્ન તૂટવાનું કારણ દારૂ પણ હતું. હવે એક્ટર અન્નુ કપૂરે એક ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તર અને શબાના આઝમીના લગ્નને યાદ કર્યા. તેમણે જણાવ્યું કે શબાના સાથે લગ્ન સમયે પણ જાવેદ અખ્તર નશામાં હતા. અન્નુ કપૂરે જણાવ્યું કે તેઓ લગ્ન માટે અડધી રાત્રે મૌલવીને બોલાવવા ગયા હતા.છદ્ગૈં પોડકાસ્ટમાં અન્નુ કપૂરને જાવેદ અને શબાના આઝમીના લગ્ન યાદ આવ્યા.

કહ્યું, તેઓ (જાવેદ) ત્યાં બેઠા હતા અને નશામાં હતા. શબાના બીજે ક્યાંક બેસીને પુસ્તક વાંચવામાં વ્યસ્ત હતા. હું ત્યાં હતો અને તેમને કહ્યું, બીબી, આગળ વધો, એકવાર નિર્ણય લો અને તેને પૂર્ણ કરો. જાવેદ નશામાં હતા. શબાનાએ કહ્યું, ‘હું નિર્ણય કેવી રીતે લઉં, તેઓ પોતે નિર્ણય લેવા તૈયાર નથી.’ હું તેમની પાસે ગયો અને તેમને હલાવ્યા. તેમણે કહ્યું, હું તૈયાર છું. હું ડ્રાઇવર સાથે મૌલવીને બાંદ્રા મસ્જિદ લાવવા દોડ્યો. દરમિયાન શૌકત અમ્મી તેમનો લાલ જોડો લઈને આવ્યા. બોની કપૂર, અનિલ કપૂર અને બધાને બોલાવ્યા.

સવારના ૪ વાગ્યા સુધી બધાએ ડાન્સ કર્યાે અને અડધી રાત પછી લગ્ન થયા.શબાના આઝમીએ અગાઉ કેટલાક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જાવેદ તેમના પિતાને મળવા આવતા હતા. તે સમયે તેઓ સલીમ-જાવેદની જોડીને ઘમંડી ગણતી હતી. પાછળથી ખબર પડી કે જાવેદ બિલકુલ તેમના પિતા જેવા હતા. આ પછી તેમની મિત્રતા વધી. લગ્નનો નિર્ણય પણ સરળ નહોતો. જાવેદ બે બાળકોનો પિતા હતા. ૨-૩ વાર બ્રેકઅપ થયું પણ પછી લગ્ન થઈ ગયા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.