1 હજાર કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ફ્રેઝ-૩ નું ડેવલપમેન્ટ દુબઈની કંપની કરશે

ઈન્દિરા બ્રીજથી નર્મદા કેનાલ (સાયફન) સુધી બંને તરફ પ.પ કિ.મી. ડેવલપમેન્ટ થશે-
દુબઈની કંપની રૂ.૧ હજાર કરોડ ખર્ચ કરશે રાજય શહેરી વિકાસ વિભાગ અને સોભા રિયાલિટી (દુબઈ) વચ્ચે થયેલ એમઓયુ મુજબ ડેવલપમેન્ટ થશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાજય સરકારના સહયોગથી સાબરમતી નદીની પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ ફ્રેઝ-૧માં ૧૧ કી.મી. લંબાઈનો રિવરફ્રંટ બનાવવામાં આવ્યો છે તેમજ હાલ ફ્રેઝ-ર નું પુરજોશથી કામ ચાલી રહયું છે.
જેમાં ડફનાળાથી ઈÂન્દરા બ્રીજ હાંસોલ સુધીનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. પરંતુ આ કામ પૂર્ણ થાય તે સાથે જ ફ્રેઝ-૩ નું કામ પણ શરૂ કરવાનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ઈÂન્દરાબ્રીજથી નર્મદા કેનાલ સુધી રિવરફ્રંટ તૈયાર કરવામાં આવશે. આ કામ માટે દુબઈ સ્થિત કંપની રૂ.૧૦૦૦ કરોડ ખર્ચ કરશે.
રાજય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ મે. શોભા રિયાલીટી વચ્ચે ૩૦ સપ્ટે. ર૦ર૩ના દિવસે એક ખાસ એમઓયુ થયા હતાં જે મુજબ શોભા રિયાલીટી રૂ.૧૦૦૦ કરોડના ખર્ચથી રિવરફ્રંટ ફ્રેઝ-૩ ડેવલપ કરશે. જેમાં દુબઈની કંપની ડાયાફ્રામ વોલ, એન્કર સ્લેબ, રીટનીંગ વોલ, માટી પુરણી, પ્લાઝા ડેવલપમેન્ટ વિગેરેની કામગીરી કરશે.
ફ્રેઝ-૩માં નદીની બંને કાંઠે ઈન્દિરાબ્રીજથી નર્મદા કેનાલ સાયફન સુધી પ કી.મી. લંબાઈમાં રિવરફ્રંટ ડેવલોપ કરવામાં આવશે. ગુજરાત સરકારે તેમના ઠરાવ ૨૫-૭-૨૪ ના રોજ દ્વારા નોડલ એજન્સી તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે.
સાબરમતી રિવરફ્રંટ ફ્રેઝ-૩માં નદીની બંને તરફ જુદા જુદા થીમ આધારિત કુલ ૧૦ વ્યુ પોઈન્ટ પ્લાઝા લોઅર પ્રોમીનાડ, મિડલ પ્રોમીનાડમાં આશરે ૧.પ૦ લાખ સ્કે. મીટરનો ટ્રી પ્લાન્ટેશન એરિયા તેમજ રિક્રિએશન એક્ટિવીટી તૈયાર કરવામાં આવશે. વધુમાં આ નેટવર્ક તૈયાર થયા બાદ અમદાવાદ અને ગાંધીનગરની કનેક્ટિવીટી સરળ બનશે આ ઉપરાંત ઉત્તર ગુજરાત તરફ જનાર વર્ગને પણ ફાયદો થશે.