અમદાવાદ મંડળ પર રાજભાષા અમલીકરણ સમિતિની બેઠકનું આયોજન

Ahmedabad, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્માની અધ્યક્ષતામાં તારીખ 29.05.2025 ના રોજ મંડળ રાજભાષા અમલીકરણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે સમિતિના અધ્યક્ષ શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા અમદાવાદ મંડળની ઈ-પત્રિકા રાજભાષા આશ્રમ સૌરભના 51મા અંકનું અવલોકન/વિમોચન કરવામાં આવ્યું.
આ દરમિયાન રાજભાષા વિભાગ દ્વારા કવિશ્રી ‘રવીન્દ્રનાથ ટાગોર જી’ ના જીવન પર પાવર પોઈન્ટ મારફતે એક રોમાંચક રજૂઆત કરવામાં આવી અને તેના સંબંધિત પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવ્યું. સદર પ્રશ્નમંચમાં વિજેતા અધિકારીઓ અને કર્મચારીઓને ઈનામ આપવામાં આવ્યા. દરેક ત્રિમાસિકની જેમ, આ અવસરે, હિન્દીમાં ઉત્કૃષ્ઠ કામ કરનારા અધિકારીઓ/કર્મચારીઓને મંડળ રેલવે મેનેજર દ્વારા મંડળની વિશેષ ઈનામ યોજના ” રાજભાષા રત્ન ” હેઠળ ઈનામ આપવામાં આવ્યા.
મંડળ રેલવે મેનેજરે રાજભાષા વિભાગને બેઠકના સફળ આયોજન માટે શાબાશી આપી અને મંડળની પત્રિકાનું અવલોકન કરતાં તેના વિષય-વસ્તુની પ્રશંસા કરી. આપે રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારના લોકોને હિન્દી સાહિત્યમાં અભિરૂચિ ઉતપન્ન કરવાની દ્રષ્ટિથી મંડળના
હિન્દી પુસ્તકાલયમાં ઉપલબ્ધ પુસ્તકોને મંડળની વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું અને પુસ્તકો અને પત્ર-પત્રિકાઓની ખરીદી, વાચકોના સૂચનોને આધારે કરવાની વાત કહી. ઉપરાંતમાં આપે દૂર-દૂરના વિસ્તારોમાં રાજભાષા હિન્દી વિષયની કાર્યશાળાઓના સંચાલન કરવાના નિર્દેશ આપ્યા.
બેઠકના ઉપાધ્યક્ષ અને અપર મંડળ રેલવે મેનેજર (સંચાલન) શ્રી લોકેશ કુમારે મંડળ રેલવે મેનેજર દ્વારા ધ્યાનમાં લાવવામાં આવેલી વિવિધ બાબતો પર વિશેષ ધ્યાન આપવા અને કામગીરી કરવા પર ભાર આપ્યો. બેઠકના અંતમાં ઉપાધ્યક્ષ શ્રી લોકેશ કુમારે આભાર વ્યક્ત કર્યો. આ અવસરે અમદાવાદ મંડળના તમામ વિભાગાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમમાં ભાગ લીધો.