Western Times News

Gujarati News

જુનાગઢમાં લગ્નના ૨૫ દિવસ પછી યુવક હતાશ થતાં કર્યો આપઘાત

જુનાગઢ, જુનાગઢમાં લગ્નના માત્ર ૨૫ દિવસ પછી એક યુવકે દવા પીને આત્મહત્યા કરી લીધી છે. પત્ની પિયર જઈને પાછી ન આવતા અને ઘર જમાઈ બનવા દબાણ કરતા યુવકે આ પગલું ભર્યું હતું. યુવકે એક સુસાઈડ નોટ લખી હતી અને પાંચ મિનિટનો વીડિયો પણ બનાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, “આ છોકરી અને એના મામાએ મારી જિંદગી બગાડી છે, એને સજા નહીં મળે ત્યાં સુધી મારી આત્મા ભટકશે.”

પોલીસે સુસાઈડ નોટ અને વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.મૃતક પિયુષ ગોહિલે વીડિયોમાં પોતાની પત્ની અને તેના મામા વિજય દુર્લભજીભાઈ સોલંકી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે રડતા રડતા જણાવ્યું કે, તેની ભૂલ થઈ ગઈ છે અને આ છોકરીએ થોડા દિવસમાં જ તેની જિંદગી બગાડી છે.

પિયુષે પોતાની પત્ની ચાંદની પર તેના મામાનું જ કહેવું માનતી હોવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે તેની જિંદગી બરબાદ થઈ. પિયુષે વીડિયોમાં જણાવ્યું હતું કે તે કોઈ લફરાબાજ છોકરો નહોતો. સમાધાન માટે ગયા ત્યારે પણ તેના મામાએ પત્નીને મોકલવાની ના પાડી દીધી હતી. તેની પત્ની તેને જેતપુરમાં રહેવા મજબૂર કરતી હતી અને કહેતી હતી કે તેને જૂનાગઢમાં સાસરિયામાં ફાવતું નથી.

તેણે પોતાના પરિવારજનોને પોતાના માતા-પિતાનું ધ્યાન રાખવા વિનંતી કરી હતી.પિયુષે ઉમેર્યું કે તેની પત્નીએ તેના જીવન પર કલંક લગાવ્યો છે અને લગ્નના પાંચ દિવસ પછી જ તેના મામા તેને ઘરે મોકલતા નહોતા. તેઓ જેતપુર આવીને રહેવા દબાણ કરતા હતા.

તેણે પોતાની પત્ની માટે હપ્તેથી એસી પણ લગાવડાવ્યું હતું,મૃતકના નાનાભાઈ મેહુલ ગોહિલે જણાવ્યું હતું કે, ૮ તારીખે તેમના ભાઈના લગ્ન થયા હતા અને થોડા દિવસો બાદ ભાભીને તેડી ગયા હતા.

સમજાવવા છતાં તેઓ પાછા ન આવ્યા અને ભાભીએ ભાઈને જેતપુરમાં ઘર જમાઈ બનીને રહેવા કહ્યું અથવા છૂટાછેડા આપવાની ધમકી આપી. ભાઈએ ના પાડતા તેને આઘાત લાગ્યો અને તેણે આત્મહત્યા કરી લીધી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.